SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ સાંપ્રત સહચિંતન ભાગ ૧૧ નેત્રનિદાન શિબિર હોય અને એમાંથી જે દર્દીઓને ઓપરેશનની જરૂર હોય તેઓને વીરનગર તે જ દિવસે વાહનમાં લઇ આવવામાં આવે, બીજે દિવસે ઓપરેશન થાય, ચાર દિવસ એમને રાખવામાં આવે, મફત ચશ્મા આપવામાં આવે અને દરેકને વાહનમાં પાછા એમના સ્થળે પહોંચાડવામાં આવે. દર્દીએ એ માટે કશું જ આપવાનું ન રહે. પૈસાના અભાવે કોઇ દર્દી પાછો જવો ન જોઇએ. દર મહિનાની તારીખો નિશ્ચિત હોય એટલે લોકો આપોઆપ જાણતા જ હોય. એટલે એ માટે પ્રચારપત્રિકાઓ, જાહેરાતો કે બીજા કશાની જરૂર ન રહે અને ખર્ચ પણ ન થાય. એ રીતે દરેક સ્થળે નિશ્ચિત દિવસે બસો-ત્રણસો દર્દીઓ આંખ બતાવવા આવી પહોંચ્યા જ હોય. શિવાનંદ મિશન એક સેવાભાવી સંસ્થા એટલે એના દાક્તરો અને કર્મચારીઓની દર્દીઓ સાથેની રીતરસમ પણ એટલી સરળ, સહજ અને સહાનુભૂતિ ભરેલી હોય કે દર્દી ગભરાય નહિ. એ માટે ડૉ. અધ્વર્યુ સાહેબે બધાંને સારી રીતે તૈયાર કરેલા છે. -- આ રીતે વીરનગરની હોસ્પિટલમાં મોતિયો વગેરેનાં મહિને સરેરાશ દોઢ-બે હજાર જેટલાં ઓપરેશન થાય અને દરેક જિલ્લામાં નેત્રયજ્ઞોમાં થાય તે ઓપરેશન વધારામાં, આ રીતે સમગ્ર સૌરાષ્ટ્રમાં અંધત્વ નિવારણનું કાર્ય એટલું બધું સરસ થયા કરે છે કે ત્યાં મોતિયા વગેરેના કારણે થતા અંધત્વની ટકાવારી સાવ ઓછી થઇ ગઇ છે. કેટલાંક વર્ષથી બાપુજીને પોતાના કાર્યમાં મદદરૂપ થાય એવાં, એમનાં અંગત મંત્રી જેવા એક બહેનની સેવાનો લાભ મળતો રહ્યો હતો. એ છે અનસૂયાબહેન. બાપુજીની બધી જ વહીવટી જવાબદારી એમણે ઉપાડી લીધી હતી. અનસૂયાબહેન એક સુશિક્ષિત, સંસ્કારી, કાર્યદક્ષ અને વ્યવહારકુશળ સન્નારી છે. એમણે અંગત રીતે તો બાપુજીની દીકરીનું સ્થાન લીધું અને બાપુજીના વાત્સલ્યનો સૌથી વધુ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.002055
Book TitleSamprat Sahchintan Part 11
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1999
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy