________________
૮૯
શેરીના સંતાનો બાળકો ઓછાં હોય છે. ગામનું એ બાળક કંઈક મજૂરી કરીને, આજીવિકાનું સાધન મેળવીને, ક્યાંક ઓટલા પર, કોઈક છાપરા નીચે સૂઈને પોતાના દિવસો ગુજારે છે. આજીવિકા ન મળે તો એ ભીખ માંગીને પોતાનો નિર્વાહ કરે છે. દયાભાવનાવાળા લોકો એને ખાવાનું આપતા રહે છે. હોંશિયાર છોકરો હોય તો કોઈક એને પોતાની દુકાને, કારખાનામાં કે ખેતરમાં કામે લગાડી દે છે. ગામડાંઓમાં આવા છોકરાઓ એકલદોકલ હોય છે. એમનું કોઈ જૂથ બંધાય એટલી મોટી સંખ્યા સામાન્ય રીતે હોતી નથી. તેઓ ગામના લોકોથી ડરીને ચાલે છે. ચોરી વગેરેની ગુનાખોરીમાં ઓછા સંડોવાય છે. વ્યસનોમાં ક્યારેક કોઈકનાં ઠૂંઠાં ફૂંકવાની ટેવ પડી જાય છે, પણ એથી વધુ ખરાબ આદત તેઓને પ્રમાણે ઓછી પડે છે.
શહેરમાં ચાલ્યા આવેલા રખડતા છોકરાઓની કોઈ ઓળખIdentity અન્ય નાગરિકો માટે એકંદરે હોતી નથી. આજે અહીં, તો કાલે બીજા વિસ્તારમાં તેઓ રખડે છે. એમની ઓળખ ન હોવાથી એમને કોઇની શરમ નડતી નથી કે નથી લાગતો કોઈનો ડર. અલબત્ત, બધાને પોતાની ધારણા પ્રમાણે જીવવાનું નથી મળતું. કેટલાકની દશા વધુ વરવી બની જાય છે.
રખડતા છોકરાઓનું એક મોટામાં મોટું આશ્રયસ્થાન તે રેલવે સ્ટેશન છે. દુનિયાના ઘણા દેશોમાં અને વિશેષતઃ ભારતમાં અનેક આશ્રયવિહોણાં લોકોને માટે તે આશ્રયનું સ્થાન બનેલું છે. રેલવેના સ્ટેશનના પ્લેટફોર્મ પર અને બહારના ભાગમાં મુસાફરો, મજૂરો, બાવાઓ, ભિખારીઓ વગેરે જેમ રાત ગુજારે છે તેમ રખડુ છોકરાઓ પણ આડીઅવળી મજૂરી કરીને, કંઈક વેચીને કે કંઈક ખોટા ધંધા કરીને પોતાની રાત રેલવે સ્ટેશનમાં ગુજારે છે. રેલવેનું આ દિશાનું યોગદાન ઘણું જ મોટું અને નોંધ લેવા યોગ્ય છે. યુરોપના એક લેખકે તો ફક્ત રેલવે સ્ટેશન પર રખડતાં અને કંઇક આજીવિકા મેળવતાં છોકરાઓ ઉપર ખાસું સંશોધન કર્યું છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org