________________
अन्ने हरंति तं वित्तं ।
-- ભગવાન મહાવીર (બીજાઓ તે ધન હરી જાય છે)
છેલ્લાં થોડાં વર્ષોમાં દુનિયામાં અને વિશેષતઃ ભારતમાં શેરબજાર, બેંકો, ફાઈનાન્સ કંપનીઓ, વેપારી પેઢીઓ વગેરેનાં કૌભાંડોને લીધે તથા બનાવટી કંપનીઓની લોભામણી જાહેરખબરો અને છેતરપિંડીને લીધે પોતાનું ધન વગર વાંકે ગુમાવ્યાનો અનુભવ કેટલાયને થયો હશે!
બીજાનું ધન હરી લેવાની પ્રવૃત્તિ આજકાલની નથી. આદિકાળથી તે ચાલી આવે છે. ભગવાન મહાવીરસ્વામીના જમાનામાં પણ એવી ઘટનાઓ બનતી હતી. પરંતુ બીજાનું ધન હરી લેવાની ઘટનાઓ વર્તમાન જગતમાં ઘણી બધી વધતી જતી હોય એવું જણાય છે.
જૂના વખતમાં ધનની હેરફેરનું ક્ષેત્ર, વેપારી સોદાઓનું ક્ષેત્ર મર્યાદિત હતું. હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક દેશનો બીજા દેશો સાથેનો વેપાર ઘણો વધી ગયો છે. એક દેશમાં બનતી ચીજવસ્તુઓ આખી દુનિયામાં પહોંચી જાય છે. ઉતાવળ હોય ત્યારે તો એક દેશમાં ઉત્પાદિત થયેલી ચીજવસ્તુઓનાં અનેક નંગ માલવાહક હવાઈજહાજો દ્વારા ચોવીસ કલાકમાં બીજા દેશનાં બજારોમાં ઠલવાઈ જાય છે. એક દેશની લક્ષ્મી કોમ્યુટરની મદદ વડે થોડીક ક્ષણોમાં હજારો માઈલ દૂરના ખાતામાં જઈને બેસી જાય છે. એટલે બીજાનું ધન પચાવી પાડવાનાં કાવતરાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સુધી પહોંચી ગયાં છે.
લક્ષ્મીદેવીની જેમ જેમ હરફર અનેકગણી વધતી ગઈ છે તેમ તેમ એના અપહરણના કિસ્સાઓ પણ વધવા લાગ્યા છે. અપહરણના કેટલાયે કિસ્સાઓમાં તો એનાં પગેરાં પણ મળતાં નથી. લક્ષ્મીદેવીને સંતાડવામાં સ્વિત્સરલેન્ડનો ઘણો મોટો ફાળો છે. સ્વિટન્ઝરલેન્ડ જેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org