SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ સાંપ્રત સહચિંતન -- ભાગ ૧૦ પનાભાઈને પૂર્વના કોઈ અસાધારણ ક્ષયોપશમને કારણે અંદરનો ઉઘાડ ઘણો મોટો હતો. એને લીધે સ્વરૂપજ્ઞાન કે આત્મતત્ત્વ વિશે; ગુણસ્થાનક વિશે કે પંચાસ્તિકાય કે ષડદ્રવ્ય વિશે તેઓ બોલવાનું ચાલુ કરે ત્યારે પ્રવાહ વહેવા લાગે. એમનું સમ્યગ્ગદર્શન વિશુદ્ધ હતું. પદાર્થોને જુદા જુદા નયથી ઘટાવવામાં એમની મૌલિક શક્તિ દેખાઈ આવતી. ઊંડા સ્વરૂપચિંતન વગર આવું બને નહિ. દ્રવ્યાનુયોગ વિશે વર્ષોથી ચિંતનમનન કરતા રહેવાને કારણે પનાભાઈને એક એક મુદ્દા વિશે વિસ્તારથી સમજાવવાનું રહેતું. પરિણામે સમય જતાં એમની સ્વાધ્યાયશૈલી એવી થઈ ગયેલી કે એક મુદ્દાની વાત કરતાં કરતાં બીજા ત્રીજા મુદ્દા ઉપર ક્યાંના ક્યાં તેઓ નીકળી જતા. ગહન વિષયને સરળ ભાષામાં, ઘરગથ્થુ દષ્ટાન્તો દ્વારા રસિક રીતે તર્કબદ્ધતાથી સમજાવવાની એમની પાસે વિશિષ્ટ શક્તિ હતી. પોતાનો વિષય ઘણો ગહન છે અને પોતાને જેટલી સ્પષ્ટતાથી સમજાય છે એટલું બીજા બધાંને કદાચ તરત ન સમજાય એ તેઓ જાણતા હતા. એથી જ જ્યારે તેઓ સ્વાધ્યાય કરાવતા હોય તે દરમિયાન જ્યાં જ્યાં કઠિન વાત આવે ત્યાં તેઓ બોલતા, “શું કીધું ? ફરીથી કહું છું.” અથવા ફક્ત “ફરીથી' એમ કહીને તેઓ વિચારને બરાબર સ્પષ્ટતાથી બીજીત્રીજી વાર રજૂ કરતા. દ્રવ્યાનુયોગ (દ્રવ્ય, ગુણ, પર્યાય) એમનો વિષય હતો અને એમાં જ એમને રસ હતો. એટલે જૈન ઇતિહાસની, જૈન સાહિત્યની કે શિલ્પની વાત કરીએ તો તેઓ નિખાલસપણે કહેતા કે એમાં પોતાની એ વિષે અધિકૃત જાણકારી નથી. એનો અભ્યાસ કરવામાં પોતાને રસ ઓછો પડે છે કારણ કે એ વિષયો સૈકાલિક નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002054
Book TitleSamprat Sahchintan Part 10
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy