________________
સ્વ. પંડિત પનાલાલ જ. ગાંધી
૧૪૩
બધાંની સાથે પનાભાઈએ ભાવથી વાત કરી હતી અને પોતાનો આધ્યાત્મિક શુભ સંદેશો નીચે પ્રમાણે લખીને વંચાવ્યો હતોઃ
સર્વ જીવ છે સિદ્ધ સમ,
પણ સ્વરૂપ ભૂલી ભમ્યા કરે. સ્વરૂપ ભજના કરો નિરંતર વહાલા શ્રી વીતરાગ વદે.
કેન્સર વધતાં ઘીમે ઘીમે પનાભાઇની બધી ઇન્દ્રિયો શાંત પડતી ગઇ અને ૧૮મી ફેબ્રુઆરીએ સવારે ૬-૩૫ વાગે તેઓ અનંતની યાત્રાએ ગ્રાલી નીકળ્યા. આજીવન બાળબ્રહ્મચારી પંડિત પનાભાઈ દીક્ષિત થઇ સાધુ થઇ શક્યા નહોતા, પરંતુ એમની ઉચ્ચ આત્મદશાને લક્ષમાં રાખી ધ્રાંગધ્રાના લોકોએ એમની પાલખી કાઢી હતી અને ઉત્સવપૂર્વક એમના મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા.
૫નાભાઇ સાથે મારો પહેલવહેલો પરિચય ૧૯૬૭ના અરસામાં થયેલો. મુંબઇમાં ચોપાટીના ઉપાશ્રયે શ્રી ક્ષમાસાગરજી મહારાજનું ત્યારે ચાતુર્માસ હતું. અમે એજ મકાનમાં ઉપર રહેતા. તે વખતે એમને ભણાવવા માટે પનાભાઇ આવતા હતા. મહારાજશ્રીએ એમનો મને પરિચય કરાવેલો. પનાભાઈ પંડિત હતા, પણ એમને જોતાં તેઓ પંડિત છે એવું લાગે નહિ એટલી સાદાઇ અને એટલી સરળતા એમનામાં હતી. ચહેરા ઉપર પણ પાંડિત્યનો કે મોટાઇનો ડોળ નહિ. પનાભાઈ મહારાજશ્રીને જે રીતે સમજાવતા અને એમની શંકાઓનું સમાધાન કરતા તે પરથી લાગ્યું કે તેઓ શાસ્ત્રોના ઘણા સારા જાણકાર છે. વ્યાખ્યાન આપતા સાધુભગવંતને ભણાવનારની સજ્જતા કેટલી બધી હોવી જોઇએ એ સમજી શકાય એવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org