SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકતા તિબેટના રામાયણ પ્રમાણે લવ અને કુશનો જન્મ થયા પછી રામ સીતાનો ત્યાગ કરે છે. તુર્કસ્તાનમાં રામાયણ પ્રાચીન કાળમાં હિંદુ, જૈન અને બૌદ્ધ એ ત્રણે પરંપરાના ધર્મપ્રવાહો, ઈસ્લામ ધર્મ હજુ ઉદયમાં આવ્યો નહોતો ત્યારે, જમીનમાર્ગે આગળ વધતાં વધતાં ઠેઠ અફઘાનિસ્તાન, તુર્કસ્તાન સુધી પહોંચ્યા હતા. અફઘાનિસ્તાનમાં વિશાળ બૌદ્ધ ગુફા છે એ એની એક મોટી સાબિતી છે. જૈન પુરાણોમાં પણ એ પ્રદેશમાં મુનિઓ વિચરતા હોવાનો ઉલ્લેખ મળે છે. રામકથા એ રીતે તુર્કસ્તાન સુધી પહોંચેલી છે. તુર્કસ્તાનનું રામાયણ “ખોતેની રામાયણ' તરીકે જાણીતું છે. એની કથા ઉપર તિબેટના રામાયણનો તથા ભારતના બૌદ્ધ ધર્મનો વિશેષ પ્રભાવ પડેલો છે. ખાતેની રામાયણમાં પણ દશરથ રાજાને બે જ પુત્રો રામ અને લક્ષ્મણ બતાવાયા છે. સીતા તે રાવણની દીકરી છે. રામ અને લક્ષ્મણ વનવાસ માટે નીકળે છે તે સમય દરમિયાન બંનેના સીતા સાથે વિવાહ થાય છે, એ આ રામાયણની એક વિચિત્રતા છે. આ રામાયણમાં રામકથાનો આરંભ કંઈક જુદી જ રીતે થાય છે. ઘર્મપ્રચારાર્થે નીકળેલા શાક્યમુનિ ભગવાન બુદ્ધ પોતાના વ્યાખ્યાનમાં રામની કથા કહે છે. આ રીતે રામકથાની શરૂઆત થાય છે. આ રામાયણમાં કેટલીક ઘટના વાલ્મીકિ રામાયણ પ્રમાણે છે અને કેટલીક ઘટનામાં રામ અને પરશુરામની કથાની સેળભેળ થયેલી જણાય છે. સિયામમાં રામકથા સિયામમાં રામકથાનો ઘણો મોટો પ્રભાવ પ્રાચીનકાળથી પડેલો છે. સિયામમાં જૂના વખતમાં અયોધ્યા નામની નગરી હતી અને એના રાજાઓ રામ પહેલો, રામ બીજો એમ રામના નામધારી હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002054
Book TitleSamprat Sahchintan Part 10
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy