SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થૂલિભદ્ર વિશે ફાગુમાવ્યો ૧ ૨ ૧ મુણીવઈ જંપ વેસ સિદ્ધિરમણી પરિણવા, મણ લીણ સંજમસિરીહિસું ભોગ રમેવા. સ્થૂલિભદ્ર જ્યારે સિદ્ધિરમણીની વાત કરે છે ત્યારે કોશા ઉપાલંભ આપતાં કહે છે કે લોકો કહે છે કે પુરુષો નવી સ્ત્રી તરફ આકર્ષાય છે એટલે તમે પણ મને મૂકીને સંયમશ્રીની સાથે ભોગ ભોગવવા નીકળ્યા છો. ભણઈ કોસ સાચઈ કિયેઉ નવલઇ ચચછે લોલ, મિ©િવિ સંમસિરિહિ જઉ રાતઉ મુણિરાઉ સ્થૂલિભદ્ર ત્યારે એનો જવાબ આપતાં કહે છે : વિસમરસ ભરપૂરિયલ રિસિરાઉ ભોઇ, ચિંતામણિ પરિહરવિ કવણુ પત્થર ગિઈ. તિમ સંજસિરિ પરિવએવિ બહુ ધમ્મસમુwલ આલિંગઈ તુહ કોસ કવણુ પસદંત મહાબલ. મુનિ સ્થૂલિભદ્ર સંયમશ્રી માટે દઢ જ છે એમ જણાતાં કોશા એક વિકલ્પ સૂચવે છે કે હમણાં પહેલાં મારી સાથે યૌવન ભોગવી લો અને પછી સંયમશ્રી સાથે તમે જોડાજો.' પહિલઉ દિવડાં કોસ કરઈ જુવ્રણફલ લીજઈ, તસંતરિ સંજયસિરીહિ સુહ સુહિણ રમીજઇ. સ્થૂલિભદ્ર એનો ઉત્તર આપતાં કહે છે: મુણિ બોલઈ જઈ મઇ લિયઈ તે લિયઉ જ હોઈ, કવણુ સુ અચ્છઈ ભુવણતલે જો મહ મણ મોહઈ. આમ કોશા અને સ્થૂલિભદ્ર વચ્ચેના સંવાદની પંક્તિઓ સઘન અને સચોટ છે. અહીં ઉચિત શબ્દપસંદગીમાં અને વિચારની તર્કબદ્ધ રજૂઆતમાં કવિની વિશિષ્ટ શક્તિની પ્રતીતિ થાય છે. એથી કોશા અને સ્થૂલિભદ્ર વચ્ચેનો સંવાદ પ્રભાવશાળી બન્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002054
Book TitleSamprat Sahchintan Part 10
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy