SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન - ભાગ ૯ પુણ્યબંધનું કારણ પણ બની શકે છે અને કર્મની નિર્જરાનું નિમિત્ત પણ બની શકે છે. કેવી રીતે એ ભક્તિ થાય છે એના ઉપર એનો આધાર રહે છે. ૮૪ તીર્થંકર પરમાત્માનાં યક્ષક્ષિણીની આરાધના મુખ્યત્વે સકામ પ્રકારની હોય છે. એમની સહય પણ અધ્યાત્મ સાધના માટે, મોક્ષમાર્ગના પુરુષાર્થ માટે, જ્ઞાનોપાસના માટે માગી શકાય છે. તીર્થંકર પરમાત્માનાં યક્ષયક્ષિણી ઉપરાંત અન્ય દેવદેવીઓની ભક્તિ પણ થાય છે. વર્તમાન કાળમાં શ્રી મણિભદ્ર અથવા માણિભદ્રવીર (દિગંબરોમાં માનભદ્ર પણ બોલાય છે), શ્રી ભૈરવજી, શ્રી ઘંટાકર્ણવીર વગેરેની ભક્તિ થાય છે. દેવતાઓ અસંખ્ય છે. એમાં કયા દેવતા સમક્સિી છે અને ક્યા મિથ્યાત્વી છે એનો વિવાદ વખતોવખત થાય છે અને એથી ઘણા જીવો મૂંઝાય છે. આવા વિવાદોમાં અંતિમ નિર્ણય તો સર્વજ્ઞ ભગવંત સિવાય કોણ આપી શકે ? એટલે જ્યાં ભક્તનું મન ડામાડોળ રહે ત્યાં તેને બહુ લાભ થાય નહિ. એના કરતાં તો ‘હે.દેવ ! તમે સક્સિી છો એવું શ્રદ્ધાપૂર્વક માનીને હું તમારી આરાધના કરું છું. મારા અજ્ઞાનને લીધે જો કંઇ દોષ થતો હોય તો તે માટે ક્ષમા પ્રાર્થુ છું.’-આવા ભાવ સાથે જો કોઇ ભક્તિ કરે તો તેને પેલાના કરતાં વિશેષ લાભ થવાનો સંભવ છે. સામાન્ય લોકોને ઇષ્ટવિયોગ અને અનિષ્ટયોગના દુઃખમાંથી મુક્ત થઇ, ઇષ્ટયોગ અને અનિષ્ટવિયોગનું સુખ મેળવવું હોય છે. ઐહિક જીવનમાં કર્મનો ક્રૂર વિપાક જીવને જ્યારે લાચાર કરી મૂકે છે ત્યારે તે દેવદેવીની સહાય માટે દોડે એ સ્વાભાવિક છે. શું જૈન ધર્મ કે શું અન્ય ધર્મ, લોકો મુખ્યત્વે ઐહિક ભૌતિક આશયથી જ દેવદેવીની ભક્તિઆરાધના કરે છે. અલબત્ત, શાસનનાં કાર્યો માટે કે અધ્યાત્મસાધનામાં દેવદેવની સહાય યાચનારા પણ હોય છે. ભલે તેનું પ્રમાણ ઘણું ઓછું હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002053
Book TitleSamprat Sahchintan Part 09
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1997
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy