SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી ૭૫ શહેરની મધ્યમાં એક વિશાળ ઉપાશ્રયની આવશ્યકતા હતી. એ માટે સંધ તરફથી ભઠ્ઠીની પોળે જગ્યા લઇ ત્યાં ઉપાશ્રય બાંધવામાં આવ્યો અને એ ઉપાશ્રયમાં શ્રી વીરવિજયજીની પધરામણી કરાવવામાં આવી. ઇ. સ. ૧૮૭૮માં અમદાવાદના જૈનોમાં મૂર્તિપૂજા વિશે મોટો વિવાદ થયો હતો. સાણંદના કોઇ કુંઢિયાએ (સ્થાનકવાસી શબ્દ ત્યારે પ્રચલિત થયો નહોતો. સ્થાનકવાસી પોતે પોતાને માટે કુંઢિયા શબ્દ વાપરતા) અમદાવાદની કોર્ટમાં અમદાવાદની વીસા શ્રીમાળી જ્ઞાતિ ઉપર દાવો કર્યો હતો કે તેઓની મૂર્તિપૂજા શાસ્ત્રવિરુદ્ધ છે માટે તે અટકાવવી જોઇએ. અંગ્રેજ જજ સાહેબે બેય પક્ષના વિદ્વાનોને બોલાવ્યા. એ વખતે અમદાવાદમાં શ્રી વીરવિજયજી મહારાજ હતા. એમણે અદાલતમાં જુબાની આપવા, તથા શાસ્ત્રોના પાઠો બતાવવા માટે પોતાના ઉપરાંત બીજા સાધુઓને પણ બોલાવ્યા. એમાં કચ્છ ભુજથી આણંદશેખરજી આવ્યા. ખેડાથી લબ્ધિવિજયજી આવ્યા. તેમની સાથે દલીચંદજી આવ્યા. અમદાવાદમાં ખુશાલવિજયજી અને માનવિજયજી હતા. તદુપરાંત સંઘના પ્રતિનિધિ એવા શ્રાવકોમાં બહારગામથી વિસનગરથી ગલાશા જેચંદ આવ્યા. બીજા શ્રાવકોમાં શ્રીમાળી જ્ઞાતિના શેઠ ભગવાનચંદ, ઇચ્છાશા, વખતચંદ માનચંદ, હરખચંદ માનચંદ વગેરે એકત્ર થયા. જ્યારે કોર્ટમાં કેસ નીકળ્યો ત્યારે જજ સાહેબે વીરવિજયજીને ખુરશીમાં બેસવા કહ્યું, ત્યારપછી ઢૂંઢક તરફથી જેઠારિખ (જેઠાઋષિ)ને બોલાવ્યા. શ્રી વીરવિજયજીએ જે પ્રશ્નો જજ સાહેબની હાજરીમાં એમને પૂછ્યા તેના તેઓ ઉત્તર ન આપી શક્યા. તેઓ તરત જ ચાલ્યા ગયા. ત્યાર પછી નરસિંહ ૠષિને બોલાવવામાં આવ્યા. તેઓ પણ શ્રી વીરવિજયજીના પ્રશ્નોના ઉત્તર ન આપી શક્યા. આગમગ્રંથોમાં અને તેમાં પણ બત્રીસ સૂત્રોમાં મૂર્તિપૂજાના ઉલ્લેખો ક્યાં ક્યાં છે તે શ્રી વીરવિજયજીએ બતાવ્યા. એથી સંતોષ થતાં જજ સાહેબે મૂર્તિપૂજક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002053
Book TitleSamprat Sahchintan Part 09
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1997
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy