SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત કવિ શ્રી વીરવિજયજી ૬૯ અઢાર વર્ષથી ઓછી હશે. એમનાં લગ્ન પછી થોડા સમયમાં એમના પિતા ક્લેશ્વર મરણ પામ્યા હતા. એક વખત કેશવરામને કાઠિયાવાડમાં ભીમનાથ (ધોલેરા પાસે) નામના ગામે જવાનું થયું. તે દરમિયાન અમદાવાદમાં એમના ઘરમાં ચોરી થઈ. તેઓ પાછા આવ્યા ત્યારે માતા અને પુત્ર વચ્ચે એ અંગે બોલાચાલી થઈ. ક્રોધે ભરાયેલી માતાએ પુત્રને ગાળ દીધી. એથી કેશવરામને ઘણું લાગી આવ્યું. તેઓ પણ ક્રોધે ભરાયા અને ઘર છોડી ચાલી નીકળ્યા અને અમદાવાદમાં પાછો પગ ન મૂકવો એવો નિર્ણય કરી રોચકા નામના ગામે પહોંચ્યા. કેશવરામના ગયા પછી માતાને પસ્તાવો થયો. વળી પતિવિયોગથી પુત્રવધૂ રળિયાત પૂરવા લાગી. એનું દુઃખ સહન ન થતાં માતાએ કેશવરામની ભાળ કાઢવા માટે પોતાની બહેનને લઈને આસપાસના ગામોમાં ભમવા માંડ્યું. એમ કરતાં રોચકામાં દીકરાની ભાળ મળી, પણ દીકરાએ તો અમદાવાદ પાછા ન ફરવાનો સંકલ્પ કર્યો હતો, એટલે માતા આઘાતને તથા પરિશ્રમને કારણે મૃત્યુ પામી. કેશવરામે માતાનું કારજ કર્યું, પણ અમદાવાદ પાછા ન ફર્યા. આ બાજુ ભાઈ અને માતાના વિયોગના દુઃખને લીધે ગંગા પણ મરણ પામી. કેશવરામનાં પત્ની રળિયાતનું શું થયું તેની કશી વિગત મળતી નથી. કેશવરામને આ સમય દરમિયાન ક્યાંક શ્રી શુભવિજયજી મહારાજનો ભેટો થયો હશે. કયા ગામે એ ભેટો થયો હતો તેની નિશ્ચિત માહિતી મળતી નથી, પરંતુ કેશવરામ પાલીતાણા પહોંચે છે. એવામાં કેશવરામને કોઈ ગંભીર બીમારી લાગુ પડી. એ વખતે પાલીતાણામાં શ્રી શુભ વિજયજી મહારાજ બિરાજમાન હતા. એમણે કેશવરામનો એ રોગ મટાડી દીધો. આ રીતે શ્રી શુભવિજયજીના સંપર્કમાં આવવાનું કેશવરામને બન્યું. સંભવ છે કે આ ગાળા દરમિયાન બ્રાહ્મણ જાતિના કેશવરામના ચિત્ત ઉપર જૈન સાધુઓના સંયમિત જીવનનો ઘણો મોટો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002053
Book TitleSamprat Sahchintan Part 09
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1997
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy