SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ સાંપ્રત સહચિંતન -- ભાગ૯ સ્વેચ્છાએ વહોરી લે છે. યુદ્ધના મોરચે લડવા જવું ન પડે એ માટે કોઇક સૈનિકોએ યુદ્ધના દિવસોમાં સ્વેચ્છાએ કાનમાં કશુંક નાખીને બહેરા થઈ ગયાના દાખલા બને છે. ઇરાદાપૂર્વક અપંગ બનાવવાના કિસ્સા પણ બને છે. ગરીબ દેશોમાં અમુક ટોળકીઓ બાળકોને ઉપાડી જઈ તેમના હાથ કે પગ છેદી નાખી, અપંગ બનાવી તેમની પાસે ભીખ માગવાનો વ્યવસાય કરાવે છે. અજ્ઞાન, વહેમ અને અંધશ્રદ્ધાને કારણે પણ આવી ઘટનાઓ બને છે. દેવ દેવીને બાળકના અંગ ધરાવવામાં આવે છે. અથવા એને નપુંસક બનાવવામાં આવે છે. અલબત્ત, આવી ઘટનાઓનું પ્રમાણ હવે ઘટી ગયું છે. ચોર ચોરી કરવા ચડ્યો, પડ્યો ને પગ ભાંગ્યો. એ અપંગ થયો. એમાં દોષ સમાજનો નથી, વ્યક્તિનો પોતાનો છે. પોતાનું અપંગપણું પોતે વહોરી લીધેલું છે. એમાં સમાજ શું કરે? આવો પ્રશ્ન કેટલાક કરી શકે. કેટલાક તો ત્યાં સુધી પણ કુતર્ક કરે કે એ અપંગ થયો તે સારું થયું. જો એ સાજો થઈને ફરી ચોરી જ કરવાનો હોય તો એના કરતાં એ અપંગ રહેશે તો એથી સમાજને વધુ લાભ થશે. આવા વિચારો પ્રથમ દષ્ટિએ કદાચ યોગ્ય લાગે તો પણ એમાં તર્કદોષ અને અમાનવતા રહેલાં છે. જે સમાજમાં અપંગ વ્યક્તિઓ કરતાં પણ ગરીબ લોકોની સંખ્યાનું પ્રમાણ ઘણું બધું વધારે હોય ત્યાં સમાજ કે સરકારનું ગરીબો પ્રત્યે લક્ષ આપવાનું કર્તવ્ય પણ મહત્ત્વનું બની રહે છે. ગરીબીને લીધે માણસને પેટપૂરતું ખાવાનું ન મળતું હોય, રહેવાને ઓટલો ન હોય, માંદગીમાં દવા વગેરેની સગવડ ન હોય, જીર્ણશીર્ણ વસ્ત્રોથી ચલાવી લેવું પડતું હોય એ સમાજમાં અપંગ વ્યક્તિને સામાજિક સંસ્થાઓ અને સરકાર તરફથી સરસ આર્થિક સહાય મળતી હોય, આજીવિકા પ્રાપ્ત થતી હોય, સરસ સાધનો મળતાં હોય અને બધી સગવડો મળતી હોય તો ગરીબ માણસોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002053
Book TitleSamprat Sahchintan Part 09
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1997
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy