SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ સાંપ્રત સહચિંતન -- ભાગ ૯ - સૂક્ષ્મ નિશ્ચયદષ્ટિથી જોઈએ તો જ્યાં રાગની (અને દ્વેષની) પરિણતિ છે ત્યાં પાપ છે. જીવ પોતાના આત્માના સ્વભાવમાંથી નીકળી વિભાવમાં આવે છે ત્યાં રાગદ્વેષની પરિણતિ થાય છે. જીવ પોતે જ આતંકદર્શી થાય, અર્થાત્ દુઃખનું સ્વરૂપ સમજે, અને એમ કરતાં સંસારનું સ્વરૂપ જ્ઞાતાદષ્ટાભાવથી જુએ અને જાણે ત્યારે એને રાગ કે દ્વેષ કરવાનું કોઈ કારણ રહેતું નથી. એટલે એ ઉચ્ચ દશામાં પણ એને કોઈ પાપ કરવાનું હોતું નથી અથવા પાપ એનાથી થતું નથી. આમ સૂક્ષ્મદષ્ટિએ જોઈએ તો પણ આતંકદર્શ જીવ પાપકર્મ બાંધતો નથી. આતંકદર્શીની જીવનવ્યવહારની તમામ પ્રવૃત્તિ, સર્વ ક્રિયા ઉપયોગપૂર્વકની, જાગૃતિપૂર્વકની, યતનાપૂર્વકની હોય છે. બાહ્ય ક્રિયાઓ કરતા હોવા છતાં તેમનો આત્મોપયોગ છૂટી જતો નથી. તેઓ આત્મસ્વરૂપમાં સ્થિર રહીને જયણાપૂર્વક ક્રિયા કરે છે અને માટે તેઓ પાપકર્મ બાંધતા નથી. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે: जयं चरे जयं चिठे जयमासे जयं सए । जयं भुंजंतो मासंतो पावं कम्मं न बंधइ ॥ જે જયણાપૂર્વક ચાલે છે, જયણાપૂર્વક ઊભો રહે છે, જયણાપૂર્વક બેસે છે, જયણાપૂર્વક સૂઇ જાય છે, જયણાપૂર્વક ખાય છે અને જયણાપૂર્વક બોલે છે તે પાપકર્મ નથી બાંધતો. આમ, ખાવાપીવાની અને ઊઠવાબેસવાની સ્કૂલ કાયિક પ્રવૃત્તિઓથી માંડીને વાચિક પ્રવૃત્તિઓ અને સૂક્ષ્મ માનસિક વિચારપ્રવૃત્તિ સુધી જે જયણાનું લક્ષ રાખે છે, તે પાપકર્મ નથી બાંધતો. પરિણામે તેવો જીવ ઉપરની ગુણશ્રેણીએ ચઢતો જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002053
Book TitleSamprat Sahchintan Part 09
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1997
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy