SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ આતંકદર્શી પાપ કરતો નથી છે. સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં પુણ્યના ઉદય વખતે પણ એટલા જ સજાગ, સાવધ રહેવાની જરૂર રહે છે. કેટલાકને દુઃખ કેટલું વસમું છે એ માત્ર અનુભવથી જ સમજાય છે. જ્યાં સુધી પોતાને એવું કોઇ દુઃખ અનુભવવાનું આવ્યું નથી ત્યાં સુધી બીજાનાં દુ:ખને તેઓ સમજી કે કલ્પી શકતા નથી. બીજાનાં દુઃખ માટે એવા માણસોને સહાનુભૂતિ સુદ્ધાં થતી નથી. તો પછી બીજાનાં દુઃખમાં સહાયરૂપ કે સહભાગી થવાની વાત તો ક્યાંથી હોય ? ૩૭ પાપને પાપરૂપે, તે હેય છે એટલે કે છોડવા યોગ્ય છે એ સ્વરૂપે સમજવાની શક્તિ પણ જીવમાં સહેલાઇથી આવતી નથી. જ્યાં સુધી અજ્ઞાન છે, મિથ્યાત્વનો ગાઢ અંધકાર છે ત્યાં સુધી તેવા લોકોને પોતે પાપપ્રવૃત્તિ કરતા હોવા છતાં પોતે પાપ કરે છે એવી સમજ હોતી નથી. કોઇ એને સમજાવે તો તે એને સમજાતું નથી અને ગમતું નથી. કેટલાક પાપને પાપરૂપે સમજતા હોવા છતાં એને છોડવાની ઇચ્છા નથી ધરાવતા કારણ કે પાપથી એમને પોતાને લાભ થતો જણાય છે. પાપ છોડવા જેવું નહિ પણ આચરવા જેવું છે એવું એમના મનમાં વસેલું હોય છે. પાપ કરવા માટે તેઓને ક્યારેય કશોય અફસોસ થતો નથી. જે દુ:ખના સ્વરૂપને સમજે છે તે દુ:ખને ઇચ્છતો નથી. નરકગતિનાં દુઃખોની વાત બાજુ પર રાખીએ અને ફક્ત આ દશ્યમાન ઐહિક જગતનાં દુ:ખોનો વિચાર કરીએ, દુ:ખી માણસોનું અવલોકન કરીએ તો જીવને માથે કેટલું દુ:ખ ગુજરી શકે છે તેનો ખ્યાલ આવે. કેટલાંક દુ:ખો મારણાન્તિક હોય છે. એવાં ઘોર દુ:ખો માણસનો જીવ લઇને જંપે છે. માણસની વેદના એટલી બધી અસહ્ય હોય છે કે શરીર એની સામે ટકી શકતું નથી. વેદનાની ચીસો પાડતો પાડતો માણસ બેભાન બની જાય છે અને પછી મૃત્યુ પામે છે. એવાં કેટલાંક ભયંકર દુઃખોના તીવ્ર અનુભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002053
Book TitleSamprat Sahchintan Part 09
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1997
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy