SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ - - - વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ નરો વા કુંજરો વા' જેવી વાણી ઉચ્ચારાઈ જાય છે. એવી વાણીને ત્રીજી ભાષા તરીકે અહીં ઓળખાવવામાં આવી છે. સાધુઓએ એવી સંદિગ્ધ વાણી પણ ન બોલવી જોઈએ. વળી ભાષાની બાબતમાં “સૂત્રકૃતાંગ'માં કહ્યું છે : भासमाणे न भासेजा, णेव बंफेज मम्मणं । माइट्टाणं विविजेजा, अणुचिंतिय वियागरे । (૧-૯-૨૫). [ મુનિ પોતાના ગુરુ બોલતા હોય ત્યારે વચ્ચે ન બોલે, બીજાના મર્મને પ્રકાશિત ન કરે, માયાકપટથી ન બોલે. જે બોલે તે વિચારપૂર્વક બોલે. ] ભાષાસમિતિ અંગે “સૂત્રકૃતાંગ'ની બીજી એક ગાથામાં કહ્યું છે : होलावायं सहीवायं, गोयावायं न वदे । तुमं तुमं ति अमणुन्नु, सव्वसो तं न वत्तह ॥ (૧-૯-૨૭) [ મુનિ કોઈને પણ નિષ્ફર વચનથી, હલકાં વચનથી કે ખુશામતભરેલાં વચનથી ન બોલાવે, તથા કોઈને પણ તે તુંકારીને, તુચ્છકારથી, અમનોજ્ઞ વચનથી ન બોલાવે. ] આમ ભગવાન મહાવીરે જુદે જુદે સમયે જે બોધ સાધુઓને ભાષાસમિતિ વિશે એટલે કે વાણી પરના સંયમ વિશે આપ્યો છે તેમાંથી “સૂત્રકૃતાંગ'ની આ ત્રણ ગાથાઓ અહીં આપી છે. ભગવાનનું પ્રત્યેક હિતવચન અર્થસભર હોય છે. એમાંથી અહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002041
Book TitleVirprabhuna Vachano Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages170
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Religion, & Sermon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy