SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ વિરપ્રભુનાં વચનો – ભાગ ૧ વસ્તૃત્વશક્તિથી ઘણો પ્રભાવ પડે છે. અનેકના જીવનને માટે તે પ્રેરણારૂપ બને છે. પરંતુ સારી વતૃત્વશક્તિ મોટા ટોળાને ખેંચી લાવે છે. એમાં દુષ્ટ માણસો પણ ખેંચાઈને આવે છે. સારી વાકછટા ક્યારેક સાધવક્તાના મનમાં સૂક્ષ્મ માન કષાય જન્માવે છે. એ વખત જતાં મદિરાનું કામ કરે છે. તે વખતે કોઈનાં, પોતાના ગુરુના સુધ્ધાં, હિતવચન ગમતાં નથી. શ્રોતાભક્તો પાસે ધાર્યું કરાવવાની શક્તિ ખીલતાં આત્મવિશ્વાસ વધે છે, સ્વતંત્ર થવાના વિચારો ચાલે છે, એમ થાય તો નિર્વાહની જવાબદારી ઉઠાવી લેનારા ભક્તો મળી જ આવે છે અને એમ કરતાં કરતાં એક દિવસ સંયમત્યાગનો નિર્ણય લેવાય છે. સાધુ તરીકે પોતે જે જે લોકહિતનું કાર્ય કરે છે તે ગૃહસ્થ તરીકે વધારે સારી રીતે કરી શકશે એવો ભ્રમ પછી સેવાય છે. સૂક્ષ્મ આધ્યાત્મિક સ્વહિતના ભોગે લોકહિતની ભ્રામક પ્રવૃત્તિ થઈ રહી છે એવું ભાન મોહનીય કર્મ પોતાને થવા દેતું નથી અને એક ઉત્તમ જીવ પોતાનું સંસારપરિભ્રમણ વધારી દે છે. એમ થવાનું હતું માટે થયું એવી માન્યતાનું પછી સમર્થન કર્યા વગર છૂટકો નથી રહેતો. સારી વસ્તૃત્વશક્તિને લીધે મળતી મોટાઈ ક્યારેક યુવાન મુનિને આત્મવંચના તરફ ધકેલે છે. બહારથી ધર્મની વાત ચાલે, પણ અંતરમાં માયાચાર વધવા લાગે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ લખ્યું છે : માએ મોટાઈમાં જે મુનિ, ચલવે ડાકડમાલા; શુદ્ધ પ્રરૂપક ગુણ વિણ ન ઘટે, તસ ભવ અરહટમાલા. નિજ ગણ સંચે, મન નવિ પંચે, ગ્રંથ ભણી જન વંચે; લુંચે કેશ, ન મુંચે માયા, તો વ્રત ન રહે પંચે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002041
Book TitleVirprabhuna Vachano Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages170
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Religion, & Sermon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy