SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ વીરપ્રભુનાં વચનો – ભાગ ૧ પોતાનાં સગાં એવા શ્રીમંતની મરવાની મનના છૂપા ખૂણામાં રાહ જોતાં હોય છે અને એના મૃત્યુ પછી એની સંપત્તિ ઝડપી લેવાનો, પચાવી પાડવાનો પ્રયાસ કરે છે. કોઈકનું ધન મેળવી લેવા માટે એના મૃત્યુની રાહ જોવી પડે એ પણ કેવી કરુણ દશા કહેવાય ! તાત્ત્વિક દૃષ્ટિએ જોઈએ અને શુભાશુભ કર્મની દૃષ્ટિએ વિચારીએ તો ધન કમાવા માટે જીવ જે અશુભ કર્મ બાંધે છે એ અશુભ કર્મ તો એને એકલાને જ ભોગવવાનાં આવે છે. પોતે કમાયેલા ધનનો લાભ બીજા ઉઠાવે છે, પરંતુ લાભ ઉઠાવનારાઓ ધનોપાર્જન કરનારી વ્યક્તિનાં એ અશુભ કર્મોમાં ભાગીદાર થતા નથી. એ અશુભ કર્મના વિપાક વખતે જે પીડા થાય છે તે વખતે સ્વજનો તેનું રક્ષણ કરી શકતાં નથી. એ પીડા કે દુઃખ એવા પ્રકારનાં હોય છે કે પોતે જાતે જ ભોગવવાં પડે છે. એટલા માટે જ ભગવાન મહાવીરે કહ્યું છે : माया पिया हुसा भाया, भज्जा पुत्ता य ओरसा । बालं ते तव ताणाय लुप्पंतस्स सकम्मुणा || [પોતાનાં કર્મો અનુસાર દુ:ખથી પીડાતા તે જીવનું એનાં માતા, પિતા, બહેન, ભાઈ, પત્ની કે ઔરસપુત્ર વગેરે કોઈ રક્ષણ કરી શકતાં નથી.] અર્થ (ધન) સરવાળે તો અનર્થનું મૂળ જ નીવડે છે. તાત્કાલિક એનો લાભ દેખાતો હોય તો પણ એનાં દૂરગામી સ્થૂલ અને સૂક્ષ્મ તાત્ત્વિક પરિણામો નુકસાનકારક છે. જેઓ ગૃહત્યાગ કરી, સાધુસંન્યાસી થઈ અકિંચન જીવન જીવે છે એમને તો અર્થની અનર્થકારી ઉપાધિમાંથી મેળવેલી મુક્તિનો આનંદ કેટલો બધો હોય છે એ તો એમનો અનુભવ કહી શકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002041
Book TitleVirprabhuna Vachano Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2001
Total Pages170
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Religion, & Sermon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy