SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ વિનય જૈન ધર્મની તાત્ત્વિક ઓળખાણ એની કોઈપણ એક લાક્ષણિકતાથી કરાવવી હોય તો એને વિનયમૂતો ઘમ્મો ઓળખાવી શકાય. જૈન ધર્મમાં વિનયગુણની મીમાંસા વિવિધ દૃષ્ટિથી કરવામાં આવી છે અને વિનયને ધર્મના મૂળ તરીકે બતાવવામાં આવ્યો છે. વ્યક્તિના વર્તમાન જીવનના વિકાસ માટે પાયામાં વિનય રહેલો હોવો જોઈએ. બીજી બાજુ આધ્યાત્મિક ક્ષેત્રે ધર્મરૂપી વૃક્ષમાં જો વિનયરૂપી મૂળ હોય તો જ તે મોક્ષરૂપી ફળ આપી શકે. આમ, મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ માટે જીવમાં વિનયગુણ હોવો અનિવાર્ય મનાયો છે. ‘દ્વાત્રિશદ્ઘાત્રિકા’માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે : कर्मणां द्राग् विनयनाद्विनयो विदुषां मतः । अपवर्गफलाढस्य मूलं धर्मतरोरयम् ।। વિનય કર્મોનું ત્વરિત વિનય કરે છે. જેના ઉપર મોક્ષરૂપી ફળ ઊગે છે એવા ધર્મરૂપી વૃક્ષનું એ મૂળ છે, એમ જ્ઞાનીઓ કહે છે. ‘વિનય’ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. વિનય એટલે વિ + નય. ‘નય' શબ્દના સંસ્કૃતમાં ભિન્નભિન્ન અર્થ થાય છે. નય એટલે સર્તન, સારી રીતભાત, જીવનશૈલી. નય એટલે દોરી જવું, રક્ષણ કરવું. નય એટલે ન્યાય, નીતિ, મધ્યસ્થતા, સિદ્ધાન્ત, દર્શનશાસ્ત્ર. વિ એટલે વિશિષ્ટ, વિશિષ્ટપણે. વિનયનો સાદો અર્થ થાય છે, ‘વિશેષપણે સારું વર્તન.’ એનો બીજો અર્થ થાય છે ‘સારી રીતે દોરી જવું', ‘સારી રીતે રક્ષણ કરવું.' જીવનવ્યવહારમાં વિનય એ સર્તનનો પર્યાય છે. સર્તન સૌને ગમે છે. વિનયી માણસ બીજાને પ્રિય થઈ પડે છે. વિનયની સાથે વિવેક, પ્રસન્નતા, ભલાઈ, કૃતજ્ઞતા, નિર્મળતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy