SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ ૨૮૭ દીવાલોનાં ગાબડાં પૂરીને, ટેકા આપીને ચલાવાય છે. અને એક શ્રીમંતનો નવા જેવો આલીશાન બંગલો તોડી નાખીને ત્યાં બીજી નવી ઈમારત બનાવાય છે, કારણ કે હવે તે બંગલો નવી ડિઝાઈન પ્રમાણે બનાવવો છે. એક ગરીબ મહિલા કાચની બંગડીઓ સાચવી સાચવીને વર્ષો સુધી ચલાવે છે અને એક શ્રીમંત મહિલા છબાર મહિને સોનાનાં ઘરેણાં ભંગાવીને નવા ઘાટ કરાવે છે. આમાં અર્થદંડ અને અનર્થદંડ બંનેને સૂક્ષ્મ દૃષ્ટિથી ઘટાવી શકાય. એથી વધારે સ્પષ્ટ ઉદાહરણ લઈએ. દરેક પ્રજા જો સુખમય શાન્તિથી જીવન જીવતી હોય તો કોઈ દેશને લશ્કરની જરૂર ન પડે. દરેક દેશને સ્વરક્ષણ માટે લશ્કર રાખવું પડે છે. સેનાનું એ ખર્ચ અંતે તો પ્રજાને જ ભોગવવાનું રહે છે. સેનાની આવશ્યકતાને કારણે થતું ખર્ચ એ અર્થદંડ છે. હવે આમાં કોઈ રાજ્ય પોતાની સરહદો વધારવા માટે વારંવાર યુદ્ધ કરતું હોય તો એ ખર્ચ પણ પ્રજાને જ ભોગવવાનું આવે છે. આ રીતે આવતું ખર્ચ તે અનર્થદંડ છે. એક શહે૨માં એક લાંબા મોટા રસ્તા ૫૨ આખી રાત બત્તીઓ સળગતી રહે છે. કોઈ વખત તો આખી રાત એક પણ ગાડી પસાર થતી નથી. પરંતુ નગ૨પાલિકાને આ જરૂરી ખર્ચ ઉઠાવવું પડે છે, જે છેવટે તો નાગરિકોએ જ ભોગવવાનું રહે છે. આને અર્થદંડ કહી શકાય. હવે કોઈ વખત નગ૨પાલિકાના કર્મચારીઓ હડતાળ ઉપર ઊતરે અને રસ્તાની બત્તીઓ ત્રણ-ચાર દિવસ સુધી ચોવીસે કલાક ચાલુ રહે, એ ખર્ચ પણ નાગરિકોએ જ ભોગવવાનું રહે છે. આને અનર્થદંડ કહેવાય. એવી જ રીતે વિમાનના અપહરણના કેટલાક કિસ્સા બન્યા એટલે એને લીધે દુનિયાભરનાં એરપોર્ટ પર રોજ લાખો માણસોને સિક્યોરિટી ચેકમાંથી પસાર થવું પડે અને એ માટે એટલો બધો વધારાનો સ્ટાફ રાખવો પડે છે. આ પણ સામાજિક અનર્થદંડનું ઉદાહરણ છે. અલબત્ત, આમાં બીજી કેટલીક અપેક્ષાઓ પણ રહેલી છે. વર્તમાન સમયમાં મોટાં ઘ૨, ભાતભાતનું રાચરચીલું, ટી. વી., ટેલિફોન, કૉમ્પ્યૂટર, ઘરની બહાર જમવા માટેનાં રેસ્ટોરાં, હૉટેલો, મહેફિલો, ભોજન માટે અનેકવિધ વાનગીઓ ઇત્યાદિને કારણે અનર્થદંડ માટે નિમિત્તો અને પ્રસંગોનો ઘણો અવકાશ વધ્યો છે. અનર્થદંડની જૂની કેટલીક વાતો કાલગ્રસ્ત બની છે, તો બીજી બાજુ ઘણી બધી વાતો ઉમેરાઈ છે. એમાં જાગૃત અને સમજદાર માણસે સાવધાનીપૂર્વક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy