SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬. જિનતત્વ એક સ્થાનેથી બીજે સ્થાને સંક્રમિત કર્યા હોય, મૂક્યા કે ફેરવ્યા હોય અથવા પોતાના સ્થાનેથી વિખૂટા પાડી દીધા હોય. (૧૦) જીવિયાઓ વવરોવિયા-જીવિતથી વ્યપરોપિત કર્યા હોય એટલે કે છૂટા કર્યા હોય. અર્થાતુ જીવથી માર્યો હોય, મારી નાખ્યા હોય. ઇરિયાવહી સૂત્ર (૧) ઇચ્છામિ (૨) પડિક્કમિઉ (૩) ઇરિયા-વહિયાએ અને (૪) વિરાણાએ આ ચાર પદોના વિસ્તારરૂપે છે. સૂત્રમાં મુખ્ય ચાર વિભાગ પડે છે અને સૂત્રમાં સાત સંપદાઓ છે. ઈરિયાવહી સૂત્ર “ઇચ્છાકારેણ' શબ્દથી શરૂ થાય છે. ત્યાર પછી પણ એમાં “ઇચ્છે” અને “ઇચ્છામિ' શબ્દો આવે છે. આ બતાવે છે કે “ઇરિયાવહીમાં ઇચ્છા'ના પ્રકારની સામાચારી છે. જૈન ધર્મવિધિઓ કે આચારો વિશે શાસ્ત્રોમાં દસ પ્રકારની સામાચારી આ પ્રમાણે બતાવવામાં આવી છે : (૧) ઇચ્છા, (૨) મિચ્છા, (૩) આવિસ્મયા, (૪) નીસીરિઆ, (૫) છંદણા, (૯) તહત્તિ, (૭) પૃચ્છા, (૮) પ્રતિપૃચ્છા, (૯) ઉપસંપદા અને (૧૦) નિમંત્રણા. ઈરિયાવહીમાં “ઇચ્છા' સામાચારી છે. એટલે કે શિષ્યની ઈચ્છા હોય તો ગુરુ આજ્ઞા આપે અને આજ્ઞા આપવાની ગુરુની ઇચ્છા હોય તો તેઓ આજ્ઞા આપે. આ સામાચારીમાં કોઈ આગ્રહ હોતો નથી. “ઈરિયાવહી' એ “ઈચ્છા'ના પ્રકારની સામાચારી હોવાથી શિષ્ય સ્વેચ્છાએ તે માટે ગુરુની આજ્ઞા માગે છે. આમ, ઈરિયાવહી એટલે સંક્ષિપ્ત અથવા લઘુ પ્રતિક્રમણ. ઈરિયાવહી પ્રતિક્રમણનો આ વિધિ આલોચના-પ્રતિક્રમણનો જઘન્યમાં જઘન્ય વિધિ છે, કારણ કે એમાં સામાન્ય નિમિત્તોથી થયેલા નાના દોષોનું તરત પ્રતિક્રમણ કરવાનું હોય છે. (મોટા દોષોની શુદ્ધિ માટે મોટા પ્રતિક્રમણની જુદી જુદી વિધિઓ છે.) આ વિધિમાં તરત લાગેલાં તાજાં કર્મોને ખંખેરી નાખવાનાં હોય છે. મન, વચન અને કાયાના વિવિધ યોગોથી ભારે અને હળવાં કર્મો બંધાય છે : ક્યારેક મોટા કષાયો થાય છે. પરંતુ સામાન્ય ગમનાગમનમાં મુખ્યત્વે હિંસાનો દોષ લાગે છે. ઈચ્છા હોય કે ન હોય, ગમનાગમનમાં વિશેષત: સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોની વિરાધના અવશ્ય થાય છે. એકંદરે તે અજાણતાં, અહેતુપૂર્વક થાય છે, તો ક્યારેક જાણતાં અને હેતુપૂર્વક થાય છે. એવાં તાજાં બંધાયેલાં નાનાં કર્મોના ક્ષય માટે આ આલોચના-પ્રતિક્રમણની વિધિ “ઈરિયાવહી' છે. જૈન સાધુ-સાધ્વીઓ માટે પાંચ મહાવ્રત ઉપરાંત પાંચ સમિતિ અને ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy