SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ના બત્રીસમા અધ્યયનમાં કહ્યું છે : रुवे अतित्ते परिग्गहम्मि सत्तोवसत्तो न उवेइ तुट्ठि । अतुट्टिदोसेण दही परंस्स । लोभाविले आययई अदत्तं ।। મિનોજ્ઞ રૂપના પરિગ્રહમાં આસક્ત થયેલો જીવ જ્યારે અતૃપ્ત થાય છે ત્યારે તેની આસક્તિ વધે છે અને તે સંતોષ મેળવી શકતો નથી. ત્યારે અસંતોષના દોષ વડે દુઃખી થયેલો તે અત્યંત લોભ વડે મલિન થઈને અન્યનું ન દીધેલું પણ ગ્રહણ કરે છે.] तम्हाभिभूयस्स अदत्तहारिणो रूवे अतित्तस्स परिग्गहे य । मायामुसं वड्ढई लोभदोषा तत्थावि दुक्खा न विमुच्चई से ।। તૃિષ્ણાથી પરાભવ પામેલો માણસ અદત્તને લેવા છતાં તે પરિગ્રહમાં તથા રૂપમાં અતૃપ્ત રહે છે. અદત્તને હરણ કરનારો તે લોભથી આકર્ષાઈને માયા અને અસત્યના દોષોને વધારી મૂકે છે, છતાં તે દુ:ખથી છૂટી શકતો નથી.] मोसस्स पच्छा य परत्थओ च पओगकाले य दुही दुरंते । एयं अदत्ताणि समाययंतो रूवे अतितो दुहिओ अणिस्सो ।। [ જૂઠું બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલવા કાળે પણ દુષ્ટ હૃદયવાળો તે જીવ દુઃખી થાય છે તેમજ રૂપમાં અતૃપ્ત રહેલો અને અણદીધેલું ગ્રહણ કરનારો હંમેશાં અસહાય અને દુઃખથી પીડિત રહે છે. કેટલાક સાધારણ સ્થિતિના માણસોને કોઈ વાડીમાંથી, મંદિરમાંથી કે કોઈ સંસ્થામાંથી શ્રીફળ, સોપારી, પેંડા, લાડુ, ફળ-ફળાદિ મફત મળતાં હોય તો પછી એવું મફત મેળવવાની તેમને આદત પડી જાય છે. એવી વસ્તુ માટે પછી નાણાં ખર્ચવાનો પ્રસંગ આવે છે ત્યારે તેમને ગમતું નથી. એમ કરતાં કરતાં એમનામાં પણ એવી નાનીનાની ચીજવસ્તુઓની ચોરી કરવાની ટેવ પડી જાય છે. એટલા માટે પોતાને કોઈ વસ્તુ હકપૂર્વક મફત મળતી હોય તો પણ એવી વસ્તુ દીર્ઘકાળ સુધી મફત મેળવવી ન જોઈએ કે જેથી એના ખોટા સંસ્કાર પોતાના જીવનમાં ઊંડા ઊતરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy