SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચક્ખાણ સાથે છઠ્ઠું વગેરે પ્રકારનું પચ્ચક્ખાણ ઉમેરી લેવું તેને (૨) વિષમ કોટિસહિત પચ્ચક્ખાણ કહે છે. ૧૩ (૪) નિયંત્રિત : ગમે તેવા વિપરીત સંજોગો હોય, સંકટ કે વિઘ્ન આવે, રોગ કે ઉપસર્ગ થાય તો પણ લીધેલું પચ્ચક્ખાણ નિશ્ચયપૂર્વક પાર પાડવું જ તે નિયંત્રિત પચ્ચક્ખાણ છે. આ પ્રકારના પચ્ચક્ખાણનો વર્તમાનકાળમાં વિચ્છેદ થયો છે, કારણ કે એવું પચ્ચક્ખાણ ક૨વા માટે શરીરનું જે સંઘયનબળ તથા આયુષ્યબળ જોઈએ તેવું બળ, તથા ભવિષ્યકાળનું જેવું જ્ઞાન હોવું જોઈએ તેવું જ્ઞાન હવેના સમયમાં રહ્યું નથી. (૫) અનાગાર : આગાર એટલે છૂટ અથવા અપવાદ. કોઈ પણ પ્રકારના અપવાદ વગર પ્રાણાન્તે પણ પચ્ચક્ખાણ પાર પાડવામાં આવે તે અનાગાર પચ્ચક્ખાણ કહેવાય. આ પચ્ચક્ખાણમાં પણ ‘અન્નથણાભોગ’ (અજ્ઞાનને લીધે) અને ‘સહસાગાર’ (અચાનક) એવા બે અપવાદો તો રાખવા જ પડે છે. (૭) સાગાર : સાગાર એટલે આગારસહિત અર્થાત્ છૂટ અથવા અપવાદસહિત. પચ્ચક્ખાણમાં જો અપવાદ ન હોય તો પચ્ચક્ખાણનો વારંવાર ભંગ થવા લાગે અને ભંગ થવાની બીકે માણસો પચ્ચક્ખાણ લેતાં ડરે. પરંતુ શાસ્ત્રકારોએ વિવિધ પ્રકારની પરિસ્થિતિનું તથા મનુષ્યના ચિત્ત અને પ્રકૃતિનું સૂક્ષ્મ અવલોકન કરીને કેટલાક અપવાદો સાથે પચ્ચક્ખાણ લેવાનું ફરમાવ્યું છે, જેમ કે અન્ય સ્થાને જતાં અચાનક પચ્ચક્ખાણનું વિસ્મરણ થઈ જાય અને અજાણતાં ભંગ થઈ જાય તો તેવા પ્રકારના ભંગને ભંગ કહ્યો નથી. જેમ કે કોઈએ અમુક ખાદ્ય પદાર્થોનો ત્યાગ કર્યો હોય અને કોઈક ભૂલથી તેવા પદાર્થવાળી વાનગી આપી દે અને ખાધા પછી જ ખબર પડે કે આ પદાર્થનું એમાં મિશ્રણ થયેલું છે. આવે પ્રસંગે અન્નથ્થણાભોગનો અપવાદ રાખેલો હોવાથી પચ્ચક્ખાણના ભંગનો દોષ લાગતો નથી. અલબત્ત, અતિચારનો દોષ લાગે છે, જેની શુદ્ધિ થઈ શકે છે. બીજો આગાર તે સહસાગાર છે. સહસા એટલે અચાનક. માણસને ખ્યાલ આવે તે પહેલાં જ કોઈક એવી ઘટના બની જાય કે જેથી પચ્ચક્ખાણનો ભંગ થાય. તેવી પરિસ્થિતિની છૂટ રાખવામાં આવે છે, જેમ કે કોઈકને ઉપવાસનું પચ્ચક્ખાણ હોય અને વાત કરતાં બેઠાં હોય તે વખતે દૂધ કે એવી કોઈ બીજી વસ્તુનો અચાનક ક્યાંકથી છાંટો ઊડી મોઢામાં પડે તો પચ્ચક્ખાણનો ભંગ થતો નથી. તેવી પરિસ્થિતિની છૂટ તે ‘સહસાગાર' છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy