________________
જિનતત્ત્વ
બીજા કેટલાક ગ્રંથોમાં પણ પચ્ચકખાણના વિષયનું વિશદ નિરૂપણ થયેલું છે.
આ બધા શાસ્ત્રગ્રંથોમાં પચ્ચખાણના વિવિધ પ્રકારો અને તેના પેટાપ્રકારો બતાવવામાં આવ્યા છે.
પચ્ચખાણના મુખ્ય બે પ્રકારો તે “મૂળ ગુણાત્મક' અને “ઉત્તર ગુણાત્મક' છે. કહ્યું છે :
प्रत्याख्यानं द्विधा प्रोक्तं मूलोत्तरगुणात्मकं ।
द्वितीयं दशधा ज्ञेयं अनागतादिभेदकं ।। અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચને મૂળ ગુણ તરીકે ઓળખાવવામાં આવે છે. સામાયિક, પૌષધ, દિપરિમાણ, અતિથિસંવિભાગ વગેરેને ઉત્તર ગુણ તરીકે ઓળખાવવામાં આવે છે. ઉત્તર ગુણ મૂળ ગુણના પોષણને અર્થે હોય છે.
પચ્ચખાણના આ બે મુખ્ય પ્રકારો ઉપરાંત નીચે પ્રમાણે દસ પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે :
(૧) અનાગતઃ અનાગત એટલે ભવિષ્ય. ભવિષ્યમાં જે પચ્ચખાણ કરવાની ભાવના હોય, પરંતુ થઈ શકે તેમ ન હોય, તે પચ્ચખાણ અનિવાર્ય સંજોગોને કારણે વહેલું કરી લેવું તે અનાગત પચ્ચખાણ કહેવાય છે. જેમ કે પર્યુષણના પર્વમાં એક ઉપવાસ, અઠ્ઠમ કે અઠ્ઠાઈ કરવાની ભાવના હોય, પરંતુ કોઈ સાદું -માંદું હોય અને તેને કારણે અથવા બીજા કોઈ કારણે પર્યુષણમાં તેવી તપશ્ચર્યા થઈ શકે તેવા સંજોગો ન હોય, માટે તે તપશ્ચર્યા વહેલી કરી લેવાનું પચ્ચખાણ લેવામાં આવે. આ અનાગત પચ્ચખાણ છે.
(૨) અતિક્રાન્ત: પર્વના કે એવા બીજા દિવસોએ અમુક તપશ્ચર્યા કરવાની ભાવના હોય, પરંતુ સંજોગોવશાત તે વખતે તે ન થઈ શકી, તો એ પર્વના દિવસો વીતી ગયા પછી તેવી તપશ્ચર્યા કરી લેવાનું પચ્ચકખાણ લેવું તે અતિક્રાન્ત પચ્ચખાણ છે.
(૩) કોટિસહિતઃ એક પચ્ચખાણનો કાળ પૂરો થવા આવ્યો હોય તે પહેલાં જ તેવું કે તેવા પ્રકારનું બીજું પચ્ચકખાણ ઉમેરી લેવું તે કોટિસહિત પચ્ચકખાણ છે. આ પચ્ચકખાણના બે પેટાપ્રકાર છે : જેમ કે ઉપવાસની સાથે ઉપવાસ, આયંબિલની સાથે આયંબિલનું પચ્ચકખાણ ઉમેરી લેવું તેને (૧) સમકોટિસહિત પચ્ચકખાણ કહે છે અને ઉપવાસની સાથે એકાસણું કે અઠ્ઠમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org