SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક ४८७ અતિચાર સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યા છે : વંદિતુ સૂત્રમાં સામાયિક વ્રતના અતિચાર માટે નીચેની ગાથા આપવામાં આવી છે : તિવિહે દુપ્પણિહાણે, અણવઠ્ઠતણે મહા સઈ વિષે; સામાડય વિતહકએ, પઢમે સિફખાવએ નિદે. ત્રિણ પ્રકારનાં દુપ્રણિધાન (મન, વચન અને કાયાનાં) સેવવાં તથા અવનિયપણે સામાયિક કરવું તથા યાદ ન રહેવાથી સામાયિક વ્રતને ભૂલી જવું એ પ્રમાણે ખોટી રીતે સામાયિક કરવાને કારણે પ્રથમ શિક્ષાવ્રતને લાગેલા અતિચારને હું જિંદું છું.] પ્રથમ શિક્ષાવ્રત સામાયિકના પાંચ અતિચાર બતાવવામાં આવ્યા છે. અતિચાર એટલે વિરાધના. અતિચાર એટલે દેશભંગ, એટલે કે વ્રતનો અમુક અંશે ભંગ. અતિચારથી સંપૂર્ણ વ્રતભંગ થતો નથી, પણ વ્રતમાં અશુદ્ધિ આવી જાય છે. અનાચારથી વ્રતનો સંપૂર્ણ ભંગ થાય છે. સામાયિકના પાંચ અતિચાર આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે : (૧) મનદુપ્રણિધાન, (૨) વચનદુ:પ્રણિધાન, (૩) કાયદુપ્રણિધાન, (૪) અનાદર અને (૫) મૃત્યુનુસ્થાપન. (૧) મનોદુપ્રણિધાન : દુપ્રણિધાન એટલે ચિત્તની એકાગ્રતા ન સચવાય તેથી પ્રવેશી જતા સાવદ્ય યોગ અથવા પાપકર્મ અર્થાત્ મનની એકાગ્રતા ન સચવાતાં, પ્રમાદ થઈ જવાને કારણે થતાં પાપકર્મ. (૨) વચનદુપ્રણિધાન : સામાયિક દરમિયાન પ્રમાદથી બોલાતાં વચનોને લીધે થતાં પાપકર્મ. (૩) કાયદુ:પ્રાણિધાન : સામાયિક દરમિયાન કાયાથી થતાં પાપકર્મ. (૪) અનાદર : પ્રમાદ વગેરેને કારણે સામાયિક પ્રત્યેનો આદરભાવ ન રહે. એથી સામાયિક ઢંગધડા વગર કરાય. સરખું લેવાય નહિ. સરખું પારવામાં આવે નહિ. સમય પૂરો થયા પહેલાં પારી લેવામાં આવે. (૫) ઋત્યનુસ્થાપન : એટલે સ્મૃતિના દોષને કારણે થતાં પાપકર્મ. સામાયિક કરવાના અવસરે તે કરવાનું યાદ ન રહે અથવા પોતે સામાયિક કર્યું કે નહિ તેવું યાદ ન રહે. પારવાનો સમય થયો કે નહિ તે યાદ ન રહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy