SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તોત્ર કેટલાક પ્રશ્નો પણ જે મતભેદ છે તેમાંનો એક તે ભક્તામરની શ્લોકસંખ્યા વિશેનો પણ છે. આ અંગે છેલ્લા એક સૈકામાં વખતોવખત કેટલીક ચર્ચા થઈ છે. - ‘ભક્તામર સ્તોત્ર'માં કવિએ તીર્થંકર પરમાત્માનાં પ્રાતિહાર્યોનું વર્ણન કર્યું છે. ૪૪ શ્લોકના ભક્તામરનાં ચાર પ્રાતિહાર્યનું ચાર શ્લોકમાં વર્ણન છે. તીર્થંકર ભગવાનનાં પ્રાતિહાર્ય આઠ છે. એટલે પ્રાતિહાર્યના ચાર નહિ, આઠ શ્લોક હોવા જોઈએ એવો દિગમ્બર મત છે. એટલા માટે વધારાના ચાર શ્લોકમાં તીર્થંકર ભગવાનનાં બાકીનાં ચાર પ્રાતિહાર્યોનું વર્ણન છે. 628 શ્વેતામ્બર મત એમ કહે છે કે કવિનો આશય બધાં જ પ્રાતિહાર્યોનું વર્ણન કરવાનો નથી. જો તેમ હોત તો જે ચાર શ્લોક આપવામાં આવ્યા છે તેમાં પ્રાતિહાર્યોનું ક્રમાનુસાર વર્ણન હોત. પરંતુ તેને બદલે કવિએ અશોક વૃક્ષ, સિંહાસન, ચામર અને છત્ર–એમ પહેલાથી છેલ્લા પ્રાતિહાર્ય સુધીમાંથી ચાર પ્રાતિહાર્યોનું વર્ણન કર્યું છે. દુંદુભિ, પુષ્પવૃષ્ટિ, ભામંડલ અને દિવ્ય ધ્વનિ એ ચાર પ્રાતિહાર્યને લગતા શ્લોક જો ઉમેરવામાં આવે તો પ્રાતિહાર્યોનો ક્રમ સચવાતો નથી. કવિનો આશય જો બધાં જ પ્રાતિહાર્યોનું વર્ણન ક૨વાનો હોય તો કવિ આઠેય પ્રાતિહાર્યોનું ક્રમાનુસાર વર્ણન કરે. અહીં ક્રમાનુસાર વર્ણન નથી. એ બતાવે છે કે કવિનો બધાં જ આશય બધાં જ પ્રાતિહાર્યોનું વર્ણન કરવાનો નથી. તીર્થંકર પરમાત્માનાં પ્રાતિહાર્યો એ અતિશય છે. જો એ આઠેય અતિશયોનું વર્ણન કરવાનો કવિનો આશય હોય તો તે પછી શરૂ થતા ‘નિર્દેમ...’ શ્લોકની અંદર એક વધુ દેવકૃત અતિશયનું વર્ણન છે. એમાં તીર્થંકરો જ્યાં વિચરે ત્યાં તેમનાં ચરણ નીચે દેવો સુવર્ણકમળની રચના કરે છે. જો કવિનો આશય દેવકૃત બધા જ અતિશયોનું વર્ણન કરવાનો હોય તો પછી માત્ર સુવર્ણકમળવાળા અતિશયને વર્ણવવાની શી જરૂર ? એટલે વસ્તુત: કવિ તો દેવો દ્વારા કરાતા ઓગણીસ અતિશયમાંથી નમૂનારૂપ પાંચ અતિશયનું (ચાર પ્રાતિહાર્યનું અને એક સુવર્ણકમળનું) વર્ણન કરે છે. જો એવી દલીલ કરવામાં આવે કે દેવકૃત બધા અતિશયોનું વર્ણન ક૨વા જતાં કૃતિનો વિસ્તાર વધી જાય તો તે દલીલ પણ યોગ્ય નથી, કારણ કે તો પછી પ્રાતિહાર્યના વધુ શ્લોકની આવશ્યકતા રહેતી નથી. વળી કવિએ તીર્થંકર પરમાત્માની ભક્તિ કેવી કેવી આપત્તિમાં ચમત્કારિક રીતે રક્ષણ કરે છે તેનો મહિમા વર્ણવવા માટે આઠ-નવ જેટલા શ્લોકની રચના કરી છે, જે મહિમા બે કે ત્રણ શ્લોકમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy