SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ द्वैधापि दुस्तरतमः श्रमविप्रणाशा वीक्ष्य प्रभोर्वपुषि कञ्चनकाञ्चनामं त्साक्षात्सहस्रतकरमण्डलसम्भ्रमेण । प्रोद्बोधनं भवति कस्य न मानसाब्जम् ।। भाषाविशेषपरिणामविधौ पटिप्ठो जीवादितत्त्वविशदीकरे समर्थः । दिव्यध्वनिर्ध्वनितदिग्वलयस्तवाई नाकर्षति प्रवरमोक्षपथे मनुष्यान् ।। विश्वैकजैत्रभटमोहमहामहेन्दं सद्यो जिगाय भगवान् निगदन्निवेत्थम् । सन्तर्जयन् युगपदेव भयानि पुंसा मन्द्रध्वनिर्नदति दुन्दुभिरुच्चकैस्ते ।। Jain Education International આ ચાર શ્લોક પ્રચલિત થયા નથી. પરંતુ હસ્તપ્રતોમાં તે મળે છે. વસંતતિલકા છંદમાં નવી બ્લોક-રચના કરીને મૂળ સ્તોત્રમાં ઉમેરો કરવાનું અશક્ય કે અઘરું નથી. એટલે પ્રાતિહાર્યના ચાર શ્લોક ઉમેરીને ૪૮ શ્લોકનું સ્તોત્ર બનાવવાના ત્રણ જુદા જુદા પ્રયાસો થયેલા જોવા મળે છે. એ પ્રયાસ કરનાર દરેકને કદાચ બીજાએ કરેલ પ્રયાસની ખબર નહિ હોય, કારણ કે મુદ્રણકળાનો એ જમાનો નહોતો. ગમે તેમ પણ સ્તોત્રમાં વધુ ચાર શ્લોકનો ઉમેરો બે-ત્રણ સૈકાથી વધુ પ્રાચીન નથી એમ હસ્તપ્રતોના આધારે જણાય છે. જ્યારે ‘ભક્તામર સ્તોત્ર'નું પઠન લગભગ ૧૩૦૦ કે ૧૫૦૦ વર્ષથી ચાલ્યું આવે છે. જિનતત્ત્વ ‘ભક્તામર સ્તોત્ર’ની લોકપ્રિયતા અને મહત્તા એટલી બધી છે કે સૈકાઓ પૂર્વે પણ એની અનુકૃતિરૂપે અને તીર્થંકર ભગવાનની સ્તુતિરૂપે સંસ્કૃતમાં વસંતતિલકા છંદમાં કેટલીક રચનાઓ થઈ છે. શાંતિ-ભક્તામર, પાર્શ્વ-ભક્તામર, વીર-ભક્તામર, સરસ્વતી-ભક્તામર વગેરે રચનાઓમાં પણ ૪૪ શ્લોક જ જોવા મળે છે. એટલે ભક્તામરના ૪૪ બ્લોક હોવાની શક્યતાને વિશેષ સમર્થન મળે છે. શ્વેતામ્બર અને દિગમ્બર ૫રં૫રા વચ્ચે કેવલીભક્તિ અને સ્ત્રી-મુક્તિ જેવા મહત્ત્વના તાત્ત્વિક પ્રશ્નો ઉપરાંત નાની નાની બીજી કેટલીક વિગતોમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy