SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ 3७४ જિનતત્ત્વ આ બીજી, ત્રીજી અને ચોથી ગાથામાં ઋષભદેવથી શરૂ કરી વર્ધમાનસ્વામી સુધીનાં ૨૪ તીર્થકરોનાં નામ ગણાવ્યાં છે. તેમાં સાત, ચૌદ અન એકવીસમા તીર્થંકરનાં નામ પછી લિvi શબ્દ પ્રયોજાયો છે. મંત્રરૂપ આ ગાથામાં નિri શબ્દ આકસ્મિક રીતે કે માત્ર પાદપૂરક તરીકે પ્રયોજાયો નથી. તેમાં ચોક્કસ ધ્યેયપર્વકનું આયોજન છે. ચોવીસ તીર્થકરોનાં નામ ત્રણ ગાથામાં આપવામાં આવ્યાં છે. તેમાં પ્રત્યેક ગાથામાં આઠ-આઠ તીર્થકરોનાં નામ છે. એટલે કે ચોવીસની સંખ્યાનું ત્રણ ગાથામાં વિભાજન વ્યવસ્થિત અને ગાણિતિક રીતે થયું છે. તેવી જ રીતે નિ શબ્દ સાત, ચૌદ અને એકવીસમા તીર્થંકર પછી આવે છે. તે શબ્દ પણ વ્યવસ્થિત રીતે અને ગણતરીપૂર્વક વિશિષ્ટ દૃષ્ટિથી પ્રયોજાયો છે. ચોવીસ તીર્થંકરોનાં નામ કુંડલિની જાગરણની દૃષ્ટિએ જો વિચારીએ તો મૂલાધાર પાસે રહેલી કુંડલિની શક્તિ લગભગ સાડા ત્રણ વલય અથવા વર્તુળની છે. સર્પના જેવું મુખ ધરાવતી શક્તિ અધોમુખ કરીને રહેલી છે. તેને જાગ્રત કરવા માટે, તેના ક્રમિક ઉત્થાન માટે પ્રત્યેક ચક્રમાં એક એક તીર્થકરનું નામસ્મરણ – ધ્યાન કરીને જો ચિત્તની એકાગ્રતા સાધવામાં આવે તો કુંડલિની શક્તિ જાગ્રત થાય. આ રીતે પહેલા વર્તુળમાં ઋષભ (મૂલાધાર ચક્ર), અજિત (સ્વાધિસ્થાન), સંભવ (મણિપુર), અભિનંદન (અનાહત), સુમતિ (વિશુદ્ધિ), પદ્મપ્રભુ (આશા), સુપાર્શ્વ (સહસ્ત્રાર) એમ સાત તીર્થકરોનાં નામોનું અનુક્રમે સ્મરણ-પ્રણિધાન કર્યા પછી નિ શબ્દ બોલવા સાથે ઉપરથી ફરીથી નીચે મૂલાધારમાં ચિત્તને જોડવાનું છે. સહસ્ત્રારમાં સંલગ્ન થયેલા ચિત્તને ઉપરથી ફરી નીચે મૂલાધારમાં સંક્રાન્ત કરવા માટે, અવરોહણ માટે, આવશ્યક સમય નિજ શબ્દના પ્રણિધાન દ્વારા પ્રાપ્ત થાય છે. અનુભવથી એની વિશેષ પ્રતીતિ થાય છે. આમ પ્રથમ વર્તુળ પૂરું થાય છે. ફરીથી ચંદ્ર (મૂલાધાર), સુવિધિ-પુષ્કૃદંત (સ્વાધિસ્થાન), શીતલ (મણિપુર), શ્રેયાંસ (અનાહત) વાસુપૂજ્ય (વિશુદ્ધિ), વિમલ (આજ્ઞા), અનંત (સહસ્ત્રાર) એ ક્રમે પ્રણિધાન કર્યા પછી ફરી નિri બોલવા સાથે ઉપરથી નીચે મૂલાધારમાં ચિત્તને લઈ જવાનું છે. ત્રીજા વર્તુળમાં ધર્મ (મૂલાધાર), શાંતિ (સ્વાધિસ્થાન), કુંથુ (મણિપુર), અર (અનાહત), મલ્લિ (વિશુદ્ધિ), મુનિ સુવ્રત (આજ્ઞા), નમિ (સહસ્ત્રાર) એમ ત્રીજું વર્તુળ પૂરું કરી નિ: શબ્દ બોલવા સાથે ઉપરથી નીચે ફરી મૂલાધારમાં ચિત્તને કેન્દ્રિત કરવાનું છે. ત્યારપછી અરિષ્ટનેમિ (મૂલાધાર), પાર્થ (સ્વાધિસ્થાન) અને વર્ધમાન (મણિપુર) એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy