SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ ઇરિયાવહી પછી કાઉસગ્ગ કરતાં પહેલાં ‘તસ્સ ઉત્તરી' સૂત્ર અને ‘અન્નત્થ’ સૂત્ર બોલવાનાં હોય છે. ‘તસ્સ ઉત્તરી’ સૂત્રમાં દોષોના નિવારણ માટે કરવાના કાઉસગ્ગનું મુખ્ય પ્રયોજન જે દર્શાવવામાં આવ્યું છે તે પ્રમાણે (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિશુદ્ધિકરણ અને (૩) વિશલ્યીકરણ કરવાની આવશ્યકતા રહે છે. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે દર્શાવ્યું છે તે પ્રમાણે આ ત્રણેની પ્રક્રિયા લોગસ્સ સૂત્રમાં ગર્ભિત રીતે સંકળાયેલી છે. લોગસ્સની પાંચમી ગાથામાં પ્રાયશ્ચિત્તની, છઠ્ઠી ગાથામાં દર્શન, જ્ઞાન અને ચારિત્રના વિશુદ્ધિકરણની અને સાતમી ગાથામાં નિરાલંબન ધ્યાન (અમનસ્ક દશા) દ્વારા વિશલ્યીકરણની પ્રક્રિયા રહેલી છે, એટલા માટે આ ત્રણ ગાથાઓને ‘પ્રણિધાન ત્રિક' તરીકે ઓળખવામાં આવે છે. ૩૭૮ હરિભદ્રસૂરિએ ‘યોગવિર્શિકા'માં યોગના પાંચ પ્રકાર દર્શાવ્યા છે : (૧) સ્થાન, (૨) વર્ણ, (૩) અર્થ, (૪) આલંબન અને (૫) નિરાલંબન. એમાં પહેલાં બે સ્થાન અને વર્ણ તે કર્મયોગ છે અને પછીનાં ત્રણ ... અર્થ, આલંબન અને નિરાલંબન એ જ્ઞાનયોગ છે. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે દર્શાવ્યું છે તે પ્રમાણે યોગના આ પાંચે પ્રકારનો પ્રયોગ લોગસ્સમાં થયો છે. લોગસ્સની પહેલી ગાથામાં સ્થાનનો, બીજી, ત્રીજી અને ચોથી ગાથામાં વર્ણનો અને પાંચમી ગાથામાં અર્થનો ઉપયોગ છે. છઠ્ઠી ગાથામાં આલંબનનો ઉપયોગ છે. આ આલંબનથી સાધકને નિર્મળ બોધિલાભ, ઋતંભરા પ્રજ્ઞા, વ૨સમાધિ, સર્વોત્કૃષ્ટ ભાવસમાધિનો અનુભવ થાય છે. અહીં બીજું અપૂર્વકરણ થાય છે; કુંડલિની શક્તિનો સાક્ષાત્કાર થાય છે. સાતમી ગાથામાં નિરાલંબન ધ્યાન છે. અહીં અમનસ્કતા હોય છે; ધ્યાતા અને ધ્યેયની અભિન્નતા હોય છે; નિર્વિકલ્પ સમાધિ, ચિત્તની પ્રશાંતવાહિતા હોય છે. કાઉસગ્ગમાં ક્યારેક સંપૂર્ણ લોગસ્સ બોલવાનો હોય છે. અને ક્યારેક ‘ચંદેસુ નિમ્મલયરા’ સુધી બોલવાનો છે. (કેટલીક ક્રિયામાં સાગરવર ગંભીરા સુધી બોલવાનો હોય છે.) ‘ચંદ્રેસ નિમ્મલયરા' સુધી બોલવાના લોગસ્સમાં યોગપ્રક્રિયા જોડાયેલી છે. એ લોગસ્સનાં પદોનું ઉચ્ચારણ શ્વાસોશ્વાસ સાથે જોડાયેલું હોવું જોઈએ. પૂર્વાચાર્યોએ ‘પાયસમા ઉસાસા' એટલે કે જેટલાં પદ એટલા શ્વાસોશ્વાસ એ પ્રમાણે લોગસ્સનો કાઉસગ્ગ ‘ચંદેસુ નિમ્મલયરા’ પદ સુધી કરવાનો કહ્યો છે. કોઈને પ્રશ્ન થાય કે આમ અપૂર્ણ લોગસ્સનો કાઉસગ્ગ કરવાનું કેમ વિધાન હશે ? પરંતુ આ કાઉસગ્ગમાં સૂત્રના સંપૂર્ણ ઉચ્ચારણ કરતાં સૂત્રનાં પદોના ધ્યાન સાથે શરીરમાં ચાલતી શ્વાસોચ્છવાસની ક્રિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy