SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સ સૂત્ર ૩૬૭ ગણધરોને દીક્ષા અને ત્રિપદી આપનાર એવા અનુક્રમે આચાર્ય અને ઉપાધ્યાયનાં પદોનું પણ સ્મરણ થઈ શકે છે. “કેવલી' શબ્દ દ્વારા સાધુના પદનું સ્મરણ થઈ શકે છે. લોગસ્સની પહેલી ગાથાના આ શબ્દોને બીજી એક રીતે ઘટાવવામાં આવે છે. આ ગાથામાં પંચપરમેષ્ઠિનું સ્વરૂપ ગૂંથી લેવામાં આવ્યું છે, કારણ કે તીર્થંકર પરમાત્માના જીવનમાં પાંચ પરમેષ્ઠિનાં પદ સુનિહિત હોય છે. (૧) તેઓ જ્યારે સમવસરણમાં બિરાજમાન થઈ ધર્મતીર્થ પ્રવર્તાવે છે ત્યારે “અરિહંત ' સ્વરૂપે હોય છે. (૨) તેઓ નિર્વાણ પામે છે ત્યારપછી સિદ્ધ સ્વરૂપે હોય છે. (૩) તેઓ જ્યારે ગણધરોને દીક્ષા આપે છે ત્યારે “આચાર્યના પદે હોય છે. (૪) તેઓ જ્યારે ગણધરોને ‘ત્રિપદી' આપે છે ત્યારે ઉપાધ્યાયના પદે હોય છે. (૫) તેઓ જ્યારે ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી સ્વયં દીક્ષિત થાય છે ત્યારે સાધુના પદે હોય છે. આમ, લોગસ્સ સૂત્રના કાઉસગ્નમાં તીર્થકરોના જીવનના પ્રસંગો દ્વારા પંચ પરમેષ્ઠિનું ધ્યાન પણ ધરી શકાય છે. લોગસ્સની પહેલી ગાથામાં તીર્થકરો માટે પ્રયોજાયેલા શબ્દોને ભિન્ન ભિન્ન રીતે ઘટાવવામાં આવે છે. અરિહંત પરમાત્માના બાર ગુણ છે. તેમાં અષ્ટ પ્રાતિહાર્યના આઠ ગુણ તે દેવકૃત હોય છે. બાકીના ચાર ગુણ તે હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં સમજાવ્યું છે તે પ્રમાણે ચાર અતિશય છે : (૧) જ્ઞાનાતિશય (૨) વચનાતિશય (૩) પૂજાતિશય અને (૪) અપાયાપગમાતિશય. આ ચાર આત્મભૂત લક્ષણો લોગસ્સની ગાથાના શબ્દોમાં નીચે પ્રમાણે જોઈ શકાય છે : (૧) લોગસ્સ ઉજ્જઅગર – કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને જેઓ લોકના સંપૂર્ણ સ્વરૂપને પ્રકાશનારા છે – જ્ઞાનાતિશય. (૨) ધમ્મતિવૈયર – ધર્મતીર્થ પ્રવર્તાવનાર, સમવસરણમાં સર્વભાષામાં પરિણમે એવી વાણી દ્વારા દેશના આપનાર – વચનાતિશય. (૩) જિન (તથા અરિહંત) - ચાર ઘાતી કર્મોનો નાશ કરનાર – અપાયાપગમાતિશય. (૪) અરિહંત – પૂજાતિશય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy