SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સ સૂત્ર ૩૬૩ “આવશ્યક સૂત્ર'માં લોગસ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરથી લોગસ્સ એ સૂત્ર છે એ તો સ્પષ્ટ રીતે ફલિત થાય છે. સૂત્રમાં ઓછામાં ઓછા શબ્દોમાં, પુનરુક્તિ કે સંદિગ્ધતાના દોષ વિના, સંક્ષેપમાં વિષયના સારતત્ત્વનું નિરૂપણ કરવામાં આવે છે. સૂત્ર કંઠસ્થ કરી શકાય એવું હોવું જોઈએ. તે પદ્યમાં પણ હોય અને ગદ્યમાં પણ હોય, પરંતુ તે વ્યાકરણશુદ્ધ હોવું જોઈએ તથા તેનું અર્થવિવરણ કરી શકાય એવું તે હોવું જોઈએ. લોગસ્સ એ દૃષ્ટિએ એક ઉત્તમ સૂત્ર છે. લોગસ્સ સૂત્ર મધુર પદ્યમાં છે એ એની વિશિષ્ટતા છે. ચેઇય વંદન ભાસ(ચૈત્ય વંદન ભાગ)માં દેવેન્દ્રસૂરિએ નીચે પ્રમાણે પાંચ દંડક સૂત્રો બતાવ્યાં છે : (૧) સક્કWય (શસ્તવ) (૨) ચેઇયWય (ચૈત્યસ્તવ) (૩) નામન્થય (નામસ્તવ) (૪) સૂયત્ય (શ્રુતસ્તવ) (૫) સિદ્ધત્થય (સિદ્ધસ્તવ) દંડકના પ્રકારનાં આ પાંચ સૂત્રોમાં “નમુત્થણ સૂત્ર એ શસ્તવ તરીકે ઓળખાય છે. “અરિહંત ચેઇઆણ” સૂત્ર ચૈત્યસ્તવ તરીકે, “લોગસ્સ” સૂત્ર નામસ્તવ તરીકે, “પુકખરવદિવ' શ્રુતસ્તવ તરીકે અને “સિદ્ધાણં બુદ્ધાણં' સિદ્ધસ્તવ તરીકે ઓળખાય છે. આમ “લોગસ્સ સૂત્ર'એ નામસ્તવ તરીકે પ્રાચીન સમયથી જાણીતું છે. તેમાં ૨૪ તીર્થકરોની સ્તુતિ એમના નામોલ્લેખ સાથે કરવામાં આવી છે. લોગસ્સ સૂત્રની ભાષા અર્ધમાગધી અથવા આર્ષ પ્રાકૃત છે. એમાં એક પણ દેશ્ય શબ્દ નથી એ નોંધવું જોઈએ. લોગસ્સમાં વિત્તિરૂંને બદલે વિત્તä જેવો પ્રયોગ થયો છે; સીયત અને લિન્કંસ એ બે નામો બીજી વિભક્તિમાં પ્રયોજાયાં હોવા છતાં તેમાં વિભક્તિનો પ્રત્યય લાગ્યો નથી; વસ્તુ અને ફિલ્વેસુ એ બે સાતમી વિભક્તિ બહુવચનનાં રૂપો પંચમીના અર્થમાં વપરાયાં છે; “મને'ના અર્થમાં “ક” અને “” એ બે રૂપો વિકલ્પ વપરાયાં છે; તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy