SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ જિનતત્ત્વ અનુવાદો થયા છે. લોગસ્સ સૂત્ર વિશે ગુજરાતીમાં પણ કેટલાક ગ્રંથો પ્રગટ થયા છે. જિનેશ્વર ભગવાનનાં નામોનું રટણ કે સ્મરણ ભવ્ય જીવોને ઉપકારક થાય છે. તીર્થંકર પરમાત્માઓના નામસ્તવનથી તેમના ગુણોનું સ્મરણ થાય છે અને જીવોને પોતાના આત્મામાં રહેલા તેવા પ્રકારના ગુણોને ઓળખવાની અને વિકસાવવાની પ્રેરણા થાય છે. નામસ્તવ દ્વારા કીર્તનવંદનથી જીવને પરમ આનંદોલ્લાસનો અનુભવ થાય છે. જેમ પોતાનાં પ્રિયજનને નામ દઈને બોલાવતી વખતે, ફક્ત એ નામના ઉચ્ચારણમાં પણ બહુ આનંદ અનુભવાય છે, તેમ અરિહંત પરમાત્માના નામના ઉચ્ચારણ વખતે અનહદ આનંદ અનુભવાય તે સ્વાભાવિક છે. જિનેશ્વર ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કરવામાં આવે તો તે નમસ્કાર જીવને સંસારસાગરમાં ડૂબતાં બચાવે છે; શ્રદ્ધાપૂર્વક કરેલા વંદનથી અશુભ કર્મનો ક્ષય થાય છે અને આત્મા વિશદ્ધ બને છે. જિનેશ્વર ભગવાનની સ્તુતિથી બોધિ(સમ્યગદર્શન)નો લાભ થાય છે, બોધિની વિશુદ્ધિ થાય છે. આમ આ સ્તુતિ ભવોભવ બોધિવિશુદ્ધિનો લાભ કરાવે છે અને સાવદ્ય યોગથી વિરમવા માટે પ્રેરક બળ બની રહે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીસમા અધ્યયનમાં ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું કે વડવાસસ્થTUi મંતા નીવે છે ના? કે “હે ભગવાન ! ચતવિંશતિસ્તવ અર્થાત્ ચોવીસ તીર્થકરોની સ્તુતિથી જીવને શો લાભ થાય છે ?” ભગવાને કહ્યું : વડવાસસ્થgo કંસાનોષ્ઠિ નાયડુ – ચતુર્વિશતિસ્તવથી જીવને દર્શન-વિશુદ્ધિનો લાભ થાય છે. “ચઉસરણ પાણણય'માં પણ કહ્યું છે : दसणयारविसोही चउवीसायथएण किच्चइ य। अच्चब्भुअगुणकित्तणवेण जिणवरिंदाणं ।। [જિનવરેન્દ્રના અતિ અદ્ભુત ગુણકીર્તન રૂપ ચતુર્વિશતિસ્તવથી દર્શનાચારની વિશુદ્ધિ થાય છે.] આમ દર્શનવિશુદ્ધિ અર્થાત્ સમ્યમ્ દર્શનની શુદ્ધિ ચોવીરા તીર્થકરોની સ્તુતિથી સારી રીતે થાય છે. એટલે જ લોગસ્સ સૂત્ર સમ્યક્ત્વની વિશુદ્ધિ માટે એક પ્રબળ સાધન ગણાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy