SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ ચૂલિકાનાં ચાર પદોનું ધ્યાન ધરવું. એ ધ્યાન કર્ણિકાસહિત બત્રીસ પાંખડીના કમળનું ધરવાનું હોય છે, અને તે દરેક પાંખડીમાં એક એક અક્ષર અને એક અક્ષર કર્ણિકામાં એમ ૩૩ અક્ષરનું સ્થાપન કરીને ધ્યાન ધરવાનું ગ્રંથકારે ફરમાવ્યું છે. એટલે ચૂલિકાના ૩૩ અક્ષરો હોય તો જ આવું કમળની પાંખડીઓવાળું ધ્યાન ધરી શકાય. એટલે ચૂલિકાના ૩૩ અક્ષરોને એનું સમર્થન મળે છે. ૩૪૪ : નવકારમંત્રના ધ્યાનના ક્રમમાં પણ અક્ષરો અને પદોનું મહત્ત્વ છે. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબ ‘નમસ્કાર મીમાંસા'માં લખે છે ‘પ્રથમ અક્ષરમય, પછી પદમય, પછી રૂપસ્થ અને છેલ્લે રૂપાતીત એ ધ્યાનનો ક્રમ છે. અક્ષરધ્યાન આકૃતિ અને વર્ણ ઉભય પ્રકારે કરાય છે. મંત્રનો દરેક અક્ષર પવિત્ર છે, કેમ કે તે વડે મંત્રદેવતાના દેહનું નિર્માણ થાય છે. મંત્રનું આત્મા સાથે–આત્માની ચિત્તશક્તિ સાથે અનુસંધાન થવું તે શબ્દાનુસંધાન છે. અક્ષરમય ધ્યાન વડે શબ્દાનુસંધાન, પદમય ધ્યાન વડે અર્થાનુસંધાન અને રૂપસ્થ ધ્યાન વડે તત્ત્વાનુસંધાન થાય છે.’ વળી તેઓ ‘નમસ્કારમીમાંસા'માં લખે છે: ‘મંત્રદૃષ્ટિએ નમસ્કારના વર્ણો પરમ પવિત્ર છે. પવિત્ર પુરુષોના મુખમાંથી નીકળેલા છે. અને પરમ પવિત્ર એવા પરમેષ્ઠિ પદને પમાડનારા છે. શબ્દશક્તિ અચિંત્ય છે; આ વર્ણો અભેદ-પ્રણિધાન કરાવનારા છે; ધ્વનિરૂપે અનાહત નાદ સુધી પહોંચાડનારા છે; અને જ્ઞાનરૂપે અવ્યક્ત એવા આત્મતત્ત્વને પમાડનાર છે. પ્રથમ વર્ણોચ્ચાર પછી વર્ણસ્મૃતિ, ત્યારપછી, અનાહત નાદ અને અંતે અવ્યક્તની પ્રાપ્તિ, એવો ક્રમ છે.' નવકારમંત્રમાં માતૃકાઓનું ધ્યાન, એક એક અક્ષરનું અલગ અલગ ધ્યાન, પણ મહત્ત્વનું અને આધ્યાત્મિક વિકાસમાં ઉપયોગી મનાયું છે. ધ્યાન ધરવામાં આગળ વધેલા મહાપુરુષો જ્યારે સંભેદ-પ્રણિધાન-પદ્ધતિથી નવકારમંત્રના કોઈ પણ એક અક્ષરનું ધ્યાન કરે છે ત્યારે તેની સામે પોતાના આત્માને એકાકાર બનાવી દે છે. તેઓ તે અક્ષરમય બની જાય છે. નવકારમંત્રના અડસઠ અક્ષરોનું ધ્યાન કુંડલિની શક્તિ જાગ્રત કરવા માટે પણ કરાય છે. અડસઠ અક્ષરોને કુંડલિની આકારે સાડા ત્રણ વર્તુલમાં ક્રમાનુસાર ગોઠવી એક પછી એક અક્ષરનું મૂલાધાર ચક્રમાં ધ્યાન ધરાય છે. આમ, નવકારમંત્રના અડસઠ અક્ષરનું ધ્યાન અડસઠ તીરથની જાત્રા સમાન ગણાય છે. (અડસઠ તીર્થનાં નામોની ગણના જુદી જુદી રીતે થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy