SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારમંત્રનું પદાક્ષર સ્વરૂપ ૩૩૫ પદના પણ પ્રત્યેકના સાથ સાત અક્ષર છે. બીજા પદના પાંચ અક્ષર છે, તો પાંચમા પદના નવ અક્ષર છે. એ રીતે બીજા અને પાંચમા પદના મળીને ચૌદ અક્ષર થાય છે. એટલે એ બે પદના સરેરાશ સાત સાત અક્ષર થાય. પાંચે પદના અક્ષર સાથે ગણવામાં આવે તો પણ પાંત્રીસ અક્ષર પ્રમાણે પ્રત્યેક પદના સરેરાશ સાત અક્ષર આવે અને સાતનો અંક પણ સોંકારસ્વરૂપ અને અખંડિત મનાય છે. કોઈકને કદાચ પ્રશ્ન થાય કે પાંચમા પદમાં તોપુ અને સવ્વ એ બે પદ પાંત્રીસની સંખ્યા પૂરી કરવા માટે તો નથી બેસાડી દેવામાં આવ્યાં ને ? તેમ થયું હોય તો પણ તે પ્રયોજન ગૌણ હોઈ શકે. તોપુ અને સવ્વ એ બે પદ એવાં છે કે માત્ર પાંચમા પદમાં નહિ, પ્રત્યેક પદમાં તે પ્રયોજી શકાય છે. નમો તો સવ્વ અરિહંતાણં કે તોપુ સવ્વ સિદ્ધાણં જેવી પદરચના પણ થઈ શકે છે. એકલું સવ્વુ પદ કે એકલું નોહ્ પદ પ્રથમ ચાર પદમાં પ્રયોજી શકાય છે. મંત્રમાં બીજા પદમાં માત્ર સવ્વુ પદ ઉમેરીને અને પાંચમા પદમાં માત્ર તોડ્ રાખીને પ્રત્યેક પદના સાત સાત અક્ષર સ્પષ્ટ રીતે કરી શકાયા હોત. તેમ છતાં બીજા પદના પાંચ અક્ષર રાખી પાંચમા પદના નવ અક્ષર કેમ કરાયા હશે એવો પ્રશ્ન થાય. વસ્તુતઃ તોÇ અને સવ્વ એ બે શબ્દ પાંચમા પદમાં જ સુસંગત અને સર્વ દષ્ટિએ ઉચિત છે. તોપુ અથવા સબ્દ શબ્દમાંથી કોઈ એક શબ્દ અથવા તે બંને શબ્દો આરંભના કોઈ પણ પદમાં મૂકવામાં આવે તો અર્થની દૃષ્ટિએ ફરક નહિ પડે, પણ ત્યારપછીના પદમાં તે અવશ્ય મૂકવાં જ પડે, નહિ તો અર્થ મર્યાદિત થાય અને સંશય જન્માવે. નમો સવ્વ સિદ્ધાળું એવી પદરચના કર્યા પછી નમો સવ્વ આયરિયાળું ન હોય અને માત્ર નો આરિયાળું હોય તો મનમાં પ્રશ્ન થાય કે શું બધા આચાર્યોને નમસ્કાર નહિ હોય ? એવી જ રીતે હોર્ શબ્દ બીજા પદમાં પ્રયોજવામાં આવે અને પછી ન પ્રયોજાય તો પણ અર્થ મર્યાદિત છે કે કેમ તે વિશે સંશય રહે. એટલે તો! અને સવ્વ બંને શબ્દો પાચમા ૫૬માં વપરાયા છે, તે જ સર્વ રીતે યોગ્ય છે, કારણ કે છેલ્લા પદમાં હોય તો ઉપરનાં ચારે પદમાં એ અર્થ આપોઆપ આવી જ જાય છે એમ સ્વાભાવિક તર્કથી પણ સમજી શકાય. વળી પદના અક્ષરોની દૃષ્ટિએ પણ સાતના સંખ્યાંકની સાથે પાંચ અને નવના સંખ્યાંક પણ એટલા જ પવિત્ર મનાયા છે. એટલે પ્રત્યેક પદના સરેરાશ સાત અક્ષર થવા સાથે પાંચ, સાત અને નવ એ ત્રણે સંખ્યાંક ગૂંથી લેવાયા છે. વળી લયબદ્ધ આલાપકની દૃષ્ટિએ પણ તે સુસંગત, સુસંવાદી અને વૈવિધ્યમય બન્યા છે. નવકારમંત્રમાં વ્યંજનરહિત સ્વર આ પ્રમાણે છે (મંત્રમાં તે કેટલી વાર આવે છે તેના સંખ્યાંકો કૌંસમાં જણાવ્યા છે) : અ (૧), આ (૧), ઇ (૧), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy