SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી ૩૨૩ શ્રિી પંચ પરમેષ્ઠિ નમસ્કારના આનુપૂર્વી આદિ ભંગોને સારી રીતિએ સમજીને ભાવપૂર્વક પ્રતિદિન ગણે છે, તે આત્મા સિદ્ધિસુખોને પ્રાપ્ત કરે છે. જે પાપ છ-માસિક કે વાર્ષિક ભારે તપ કરવાથી નાશ પામે છે, તે પાપ નમસ્કારની અનાનુપૂર્વી ગણવાથી અર્ધક્ષણમાં નાશ પામે છે. જે મનુષ્ય સાવધાન મનવાળો બનીને અનાનુપૂર્વીના સર્વ ભંગોને ગણે છે, તે મનુષ્ય અતિશય ક્રોધાયમાન એવા વૈરીઓ વડે બંધાયેલો હોય તો પણ શીઘ મુક્ત થઈ જાય છે. નવકારમંત્રથી અભિમંત્રિત “શ્રી શ્રીવત્ત' (શ્રીવેઝ) નામના વાસક્ષેપથી શાકિની, ભૂત, સર્વ દુષ્ટ ગ્રહો આદિ એક ક્ષણ માત્રમાં શમી જાય છે. બીજા પણ ઉપસર્ગો (ઉપદ્રવો), રાજા આદિના ભય તથા દુષ્ટ રોગ શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કાર મંત્રની અનાનુપૂવને ગણવાથી શાંત થઈ જાય છે. તપગચ્છના મંડનરૂપ શ્રી સોમસુંદરસૂરિના શિષ્ય પરમપદરૂપ સંપત્તિના અભિલાષી થઈને આ નવપદસ્તોત્રનું કથન કર્યું છે. પંચ નમસ્કાર સ્તોત્રનું સંયમમાં તત્પર થઈને જે પઠન કરે છે તથા ધ્યાન ધરે છે તે એવું સુખ પ્રાપ્ત કરે છે કે જેનો મહિમા જિનેશ્વર ભગવાનોએ વર્ણવેલો છે.] અનાનુપૂર્વીનો મહિમા દર્શાવતાં આ જ પ્રમાણે ગુજરાતીમાં કહેવાયું છે : અણાણુપૂર્વી ગણજ્યો જોય, છ માસી તપનું ફળ હોય; સંદેહ નવ આણો લગાર, નિર્મળ મને જપો નવકાર. શુદ્ધ વસ્ત્ર ધારી વિવેક, દિન દિન પ્રત્યે ગણવી એક એમ અણાણુપૂર્વી જે ગણે, તે પાંચસે સાગરનાં પાપ હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy