SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો લોએ સવ્વ સાહુણં, નમો અરિહંતાણં અને નમો ઉવજ્ઝાયાણં એ પ્રમાણે બોલવું જોઈએ. દરેક સંખ્યા સાથે કયું પદ રહેલું છે એ યાદ કરવામાં ચિત્ત પરોવાઈ જાય છે, એટલે કે ચિત્ત બહાર અન્ય વિચારોમાં ઓછું ભટકે છે અથવા ભટકતું બંધ થઈ જાય છે. પૂર્વાનુપૂર્વી અનુસાર સીધા ક્રમમાં જ્યારે જાપ કરવામાં આવે છે ત્યારે તે જાપ યંત્રવત્ બની જવાનો સંભવ વધુ રહે છે. જીભ માત્ર રટણ કરતી હોય અને ચિત્ત તો ક્યાંય બહાર અન્ય વિષયોમાં કે વિચારોમાં ભટક્યા કરતું હોય એવું બને છે. એવા ચંચળ ચિત્તને નવકારમંત્રમાં કેન્દ્રિત કે સ્થિર કરવા માટે અનાનુપૂર્વીની પદ્ધતિ સર્વોત્તમ છે. એટલા માટે જ અનાનુપૂર્વી ગણવાનો મહિમા ઘણો બધો દર્શાવવામાં આવ્યો છે. એથી ચિત્તની ઉપયોગશક્તિ ક્રમે ક્રમે વધતી જાય છે, જે એને કર્મબંધન છેદવામાં ઉપકારક નીવડે છે. શ્રી જિનકીર્તિસૂરિજી મહારાજ અનાનુપૂર્વીનું માહાત્મ્ય સમજાવતાં કહે છે : ૩૨૨ इय अणुपुव्वीप्पमुहे भंगे सम्मं विआणिउं जोउ । भावेण गुणइ निच्चं, सो सिद्धिसुहाई पावेइ । । १ । । जं छम्मासियवरिसिअ - तवेण तिव्वेण झिज्झए पावं । नमुक्कार अणणुपुवी - गुणणेण तयं खणद्वेण । । २ ।। जो गुणइ अणणुपुव्वी, भंगे सयले वि सावहाणमणा । दढरोसबेरिंएहिं वद्धोवि स मुच्चए सिंग्धं ॥ ३ ॥ एएहिं अभिमंतिअ, वासेणं सिरिसिरिवत्तमित्तेण । साइणिभूअप्पमुहा, नासंति खणेण सव्वगहा । ।४ ।। अन्नेवि अ उवसग्गा, रायाइभयाइं दुट्टरोगा य । नवपय अणणुपुवी, गुणणेण जंति उवसामं । । ५ । । तवगच्छं मंडणाणं सीसो सिरि सोमसुंदर गुरुणं । परमपय संपयत्थी जं पइ नव पय थुयं एयं । । ६ ।। पञ्चनमुक्कार थुय एयं सयं करंति संझमवि । जोझएइ लहहसो जिणकित्तिअमहिमसिद्धि सुहं ॥ ७ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy