SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી ૩૧૯ ત્યાંથી શરૂ કરીને ક્રમાનુસાર આગળ કે ક્રમાનુસાર પાછળ બોલવામાં આવે તો તેને યથાતથાનુપૂર્વી કહેવામાં આવે છે, જેમ કે નમો આયરિયાણં, નમો ઉવાયાણ, નમો લોએ સવ્વ સાહુર્ણ, એસો પંચ નમુક્કારો, સબ પાવ પણાસણો – એટલાં પદ ક્રમાનુસાર લીધાં હોય અથવા એસો પંચ નમુક્કારો, નમો લોએ સવ્વ સાહૂણ, નમો ઉવજ્જાયાણું – એટલાં પદ વિપરીત ક્રમાનુસાર લીધાં હોય તો તે યથાતથ આનુપૂર્વી કહેવાય. એના આવા બીજા કેટલાક વિકલ્પો પણ સંભવી શકે. જેમ નવકારમંત્રમાં તેમ ચોવીસ તીર્થંકરોનાં નામોમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવથી શરૂ કરી ચોવીસમા મહાવીર સ્વામી સુધીનાં નામ ક્રમાનુસાર બોલવામાં આવે તો તે પૂર્વાનુપૂર્વી કહેવાય. મહાવીર સ્વામીથી શરૂ કરી, પાર્શ્વનાથ, નેમિનાથ, નમિનાથ એમ ક્રમાનુસાર બોલતા જઈ પ્રથમ તીર્થંકર ઋષભદેવ સુધી બોલવામાં આવે તો તે પશ્ચાનુપૂર્વી કહેવાય અને અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ એમ વચ્ચેથી ગમે ત્યાંથી ક્રમાનુસાર બોલવામાં આવે અથવા વિપરીત ક્રમાનુસાર વચ્ચેથી બોલવામાં આવે તો તે યથાતથાનુપૂવ કહેવાય. નવકારમંત્રનાં નવ પદની અનાનુપૂર્વીની સંખ્યા ઘણી બધી મોટી હોવાથી પાંચ પદની આખી અનાનુપૂર્વ ગણવાનું સરળ છે. એક કોઠામાં પાંચ અનાનુપૂર્વી ગોઠવી હોય એવી રીતે ૨૪ કોઠાની અંદર પાંચ પદની અનાનુપૂર્વી આપી શકાય છે, અને તેનું જપધ્યાન કરવાનું સરળ બને છે. ચોવીસ તીર્થકરોની દર્શન ચોવીસીની પુસ્તિકામાં પ્રત્યેક તીર્થકર સાથે એક એવા ચોવીસ કોઠાઓ આપવામાં આવે છે. જો એક કોઠામાં છ અનાનુપૂર્વી આપવામાં આવે તો એવા વીસ કોઠામાં પાંચ પદની આખી અનાનુપૂર્વી આવી જાય. વીસ વિહરમાન જિનેશ્વરો સાથે આવા વીસ કોઠા ગોઠવી શકાય. કેટલાક મહાત્માઓ નવ પદની ૩,૩૨,૮૮૦, અનાનુપૂર્વીના ૪૦૩૨૦ કોઠા તૈયાર કરી તે પ્રમાણે નવકારમંત્રનું સંપૂર્ણ અનાનુપૂર્વીપૂર્વક ધ્યાન ધરે છે. અનાનુપૂર્વના કોઠામાં જ્યાં ૧નો સંખ્યાંક હોય ત્યાં પ્રથમ પદ “નમો અરિહંતાણં ” બોલવું, જ્યાં ૨ હોય ત્યાં “નમો સિદ્ધાણં' બોલવું; જ્યાં ૩ હોય ત્યાં “નમો આયરિયાણં', જ્યાં ૪ હોય ત્યાં “નમો ઉવજ્જાયાણ અને જ્યાં ૫ હોય ત્યાં “નમો લોએ સવ્વ સાહૂણ' બોલવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy