SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારમંત્રની આનુપૂર્વી અને અનાનુપૂર્વી આવશે. હવે વધેલો અંક તે ૨ છે; પૂર્વ બાજુથી ખાલી પડેલી જગ્યા ૧ની નીચે છે. ત્યાં ૨નો અંક મૂકવો. આ રીતે અનાનુપૂર્વી થશે ૨, ૧, ૩, ૪, ૫. હવે તે પછીની અનાનુપૂર્વી કરવી હોય તો તેની નીચે ઉપરના નિયમ પ્રમાણે આંકડાઓ મૂકીને ક૨વી. પરંતુ તેમાં ‘સમયભેદ' છોડી દેવાનો. સમયભેદ એટલે અગાઉ આવી ગયેલી અનાનુપૂર્વી જેવો સરખો ક્રમ. એકની નીચે ખાલી પડેલી જગ્યા તથા સમયભેદની ખાલી પડેલી જગ્યામાં વધેલા અંકો પૂર્વ બાજુથી જ્યેષ્ઠાદિ ક્રમથી ગોઠવવાના રહે છે. આ રીતે એક પછી એક અનાનુપૂર્વી બનાવતા જઈએ એટલે છેલ્લે પશ્ચાનુપૂર્વી આવે, જેમ કે ૧, ૨, ૩, ૪, ૫ની પશ્ચાનુપૂર્વી ૫, ૪, ૩, ૨, ૧ આવે. આવી રીતે ગમે તેટલા આંકડાની અનાનુપૂર્વી બનાવી શકાય. અલબત્ત, એમાં જેમ એક એક આંકડો વધતો જાય તેમ અનાનુપૂર્વીની સંખ્યા, કૂદકે કૂદકે વધતી જાય. એ કૃતિમાં શ્રી જિનકીર્તિસૂરિ આગળ લખે છે : गाईण पयाण गणअन्ताणं परोप्परं गुणणे । अणुपुव्विप्पमुहाणं भंगाणं हुंति संखाओ ।। [ગણપર્યન્ત એક વગેરે પદોના સંખ્યાંકનો પરસ્પર ગુણાકાર કરવાથી આનુપૂર્વી વગેરેની (અનાનુપૂર્વી સહિત) ભંગસંખ્યા થાય છે.] વળી, તેઓ સમજાવે છે કે : एगस्स एग मंगो दोहं दो चैव तिन्ह छब्भंगा । Jain Education International चउवीसं च चउण्हं विसुत्तरसयं च पंचण्हं । । सत्त य सयाणि वीसा छण्हं पणसहस्स चत सत्तण्हं । चालीस सहस्स तिसया वीसुत्तरा हुंति अट्टहं । । लक्खतिगं बास्टठी सहस्स अट्ठ य खयाणि तह असिई । नवकार नवपयाणं मंगयसंखा उ सव्वा उ ।। ૩૧૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy