SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ सज्झायं कुव्वंतो पंचिंदियसुंवडो तिगुत्तो य । हवदि य एयग्गमणो विणएण समाहिदो मिक्खू ।। जह जह सुदमोग्गाहदि अदिसयरसपसरमसुदपुव्व तु । तह तह पल्हादिज्जदि नवनवसंवेगसड्ढाए । । आयापायविदण्डू दंसणणाणतवसंजम ढिच्चा । विहरदि विसुज्झमाणो जावज्जीवं दु णिवकंवो । । જે સાધુ સ્વાધ્યાય કરે છે તે પાંચ ઇન્દ્રિયોનો સંવર કરે છે, મન વગેરે ગુપ્તિઓને પણ પાળવાવાળો હોય છે અને એકાગ્રચિત્ત બનીને વિનયથી સંયુક્ત થાય છે. જેમાં અતિશય રસનો પ્રસાર છે અને જે અશ્રુતપૂર્વ છે એવા શ્રુતમાં તે જેમ જેમ અગવાહન કરે છે તેમ તેમ અતિશય નવીન ધર્મશ્રદ્ધાથી સંયુક્ત બનીને પરમ આનંદનો અનુભવ કરે છે. સ્વાધ્યાયથી પ્રાપ્ત આત્મા વિશુદ્ધિ દ્વારા નિષ્કર્મી તથા હેયોપાદેયમાં વિચક્ષણ બુદ્ધિથી યાવજ્જીવન રત્નત્રય માર્ગમાં પ્રવર્તે છે. જિનતત્ત્વ ‘ભગવતીસૂત્ર’માં સ્વાધ્યાયના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે : सज्जए पंचविहे पणत्ते, तं जहा વાયા, ત્રિપુચ્છના, રિયટ્ટા, અમુળેઠા ઘમ્માહીં| સ્વાધ્યાયના પાંચ પ્રકાર કહ્યા છે – જેમ કે (૧) વાચના, (૨) પૃચ્છમા, (૩) પરિવર્તના (અથવા પરાવર્તના), (૪) અનુપ્રેક્ષા અને (૫) ધર્મકથા. - આ પાંચ પ્રકારમાંથી વાચના, પૃચ્છના અને પરાવર્તના એ ત્રણે પ્રકારને દ્રવ્યશ્રુત કહેવામાં આવે છે અને અનુપ્રેક્ષાને ભાવદ્યુત કહેવામાં આવે છે. તત્ત્વનું રહસ્ય સમજાયા પછી શ્રુતજ્ઞાનનું બીજાઓને દાન દેવા રૂપી પાંચમો પ્રકાર ‘ધર્મકથા’ ફક્ત ગીતાર્થ સાધુઓ માટે હોય છે. આ પાંચે પ્રકારનું ક્રમશઃ અને વિધિપૂર્વક આસેવન કરવાથી સ્વાધ્યાય સારો થાય છે. માટે કહ્યું છે : यत्तु खलु वाचनादेरासेवनमत्र भवति विधिपूर्वम् । धर्मकथान्तं क्रमशस्तत्स्वाध्यायो વિનિર્દિષ્ટ ।। એ સમજાવતાં જયશેખરસૂરિ ‘ઉપદેશચિંતામણિ'માં લખે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy