SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય ‘ઉત્તરાધ્યયન સૂત્ર’માં જણાવ્યા પ્રમાણે ભગવાનને પૂછવામાં આવે છે : સન્ધાળુનું મંતે નીવે વિં નાય? (હે ભગવંત ! સ્વાધ્યાયથી જીવ શું મેળવે છે ?) ભગવાન કહે છે : સજ્જાનું નાગાવન્નિ મં હવેફ (સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીય કર્મ ખપાવે છે.) સર્વ આચરણનું મૂળ સ્વાધ્યાયમાં રહેલું છે. જેમ જેમ સ્વાધ્યાય વધતો જાય અને શ્રદ્ધાપૂર્વક પરિણમતો જાય તેમ તેમ સ્વાધ્યાય કરનારનું આચરણ વિશેષ શુદ્ધ થતું જાય છે. એટલા માટે સ્વાધ્યાય-તપનો વિશિષ્ટ મહિમા દર્શાવતાં કહેવાયું છે કે તીર્થંકરોએ કહેલા એવા છ અત્યંતર અને છ બાહ્ય એવા બાર પ્રકારના તપને વિષે સજ્ઝાય સમાન બીજું એકે તપકર્મ હમણાં નથી, અને ભવિષ્યમાં નહિ થાય. बारसविहम्मि वि ता सब्मिंतरबाहिरे कुसलदिठ्ठे । न वि अत्थि न विय होही सज्झायसमं तवोकम्मं ।। સ્વાધ્યાયનું ફળ દર્શાવતાં ‘(પાતંજલયોગદર્શન’માં કહ્યું છે : સ્વાધ્યાયાવિષ્ટદેવતા-સંપ્રયોTM: । (સ્વાધ્યાયથી ઇષ્ટદેવતાનો સાક્ષાત્કાર થાય છે.) વળી, સ્વાધ્યાયનો મહિમા દર્શાવતાં કહેવામાં આવ્યું છે : स्वाध्यायगुणने यत्नः, सदा कार्यो मनीषिभिः । कोटिदानादपि श्रेष्ठं, स्वाध्यायस्य फलं यतः । । ૨૫૯ બુિદ્ધિમાનોએ હમેશાં સ્વાધ્યાય ગણવામાં યત્ન કરવો જોઈએ, કારણ કે કરોડોનાં દાન કરતાં પણ સ્વાધ્યાયનું ફળ શ્રેષ્ઠ છે.] ‘સર્વાર્થસિદ્ધિ’માં સ્વાધ્યાય-તપનો મહિમા દર્શાવતાં કહ્યું છે : प्रज्ञातिशयः प्रशस्ताध्यवसायः रित्येवमाद्यार्थः । परमसंवेगस्तपोवृद्धिंतिचारविशुद्धि પ્રજ્ઞામાં અતિશય લાવવા માટે, અધ્યવસાયને પ્રશસ્ત કરવાને માટે, ૫૨મસંવેગને માટે, તપવૃદ્ધિ અને અતિચાર-શુદ્ધિને માટે સ્વાધ્યાય-તપ આવશ્યક છે. Jain Education International આરાધક મુમુક્ષુ આત્માઓ માટે સ્વાધ્યાયની આવશ્યકતા દર્શાવતાં ‘ભગવતી આરાધનામાં કહેવાયું છે : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy