SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ જિનતત્ત્વ ગુણસ્થાનકની દૃષ્ટિએ વિચારીએ તો આત્મા જેમ જેમ નિર્મળ થતો જાય તેમ તેમ ઉપરના ગુણસ્થાનકે ચડતો જાય છે. એમાં દસમા ગુણસ્થાનકે પહોંચેલા આત્માને જાતજાતની લબ્ધિઓ પ્રગટ થવા લાગે છે. પરંતુ આ લબ્ધિ પ્રત્યે જો તે આકર્ષાય તો ફરી પાછો તે નીચે પડવા લાગે છે. મોહનીય કર્મનો સદંતર ક્ષય થયો હોતો નથી, એટલે જીવ પોતાનામાં પ્રગટ થયેલી આવી અદભુત શક્તિઓ જોઈને રાજી થાય છે, તેમાં રાચે છે અને તેના પ્રયોગો કરવા માટે લલચાય છે. એટલે કે આ લબ્ધિઓને વાપરવા માટે સૂક્ષ્મ લોભ-કષાય હજુ ગયો નથી હોતો. માટે આ ગુણસ્થાનકને સૂક્ષ્મ સંપરાય તરીકે ઓળખાવવામાં આવે છે. લબ્ધિ-સિદ્ધિઓની દષ્ટિએ ભવ્યાત્માઓની કસોટી કરનારું આ મહત્ત્વનું ગુણસ્થાનક છે. પોતાનામાં પ્રગટ થયેલી લબ્ધિઓ પ્રત્યે અનાસક્ત રહેવું તે સાધક માટે અત્યંત મહત્ત્વનું છે. સામાન્ય રીતે સાચા સાધકો પોતાનામાં પ્રગટ થયેલી લબ્ધિઓનું ગોપન કરે છે. પરહિત માટે, યુદ્ધ, દુકાળ કે અન્ય પ્રકારની આપત્તિ આવી પડે ત્યારે આવી લબ્ધિનો તેઓ ઉપયોગ કરે છે. પરંતુ એ લબ્ધિઓનો પોતાના સ્વાર્થ માટે કે વાસનાઓના સંતોષ માટે ક્યારેય ઉપયોગ કરતા નથી. સનતકુમાર ચક્રવર્તીની જેમ લબ્ધિઓ પ્રત્યે પણ તેઓ નિસ્પૃહ રહે છે. દસમા ગુણસ્થાનકમાં આ લબ્ધિઓ જ્યારે પ્રગટ થઈ હોય ત્યારે તે માટે મનથી પણ રાજી ન થવાનો ભાવ રાખવાનો હોય છે, કારણ કે એવી લબ્ધિશક્તિ માટેનો સૂક્ષ્મ લોભ પણ આત્માને નીચો પાડે છે. જેઓ આ કસોટીમાંથી પાર ઊતરે છે, તેઓ ઉપરના ગુણસ્થાનકે ચડી શકે છે. એટલા માટે ઊંચી આધ્યાત્મિક સાધનાના વિષયમાં અર્થાત્ મોક્ષપ્રાપ્તિ માટેના પુરુષાર્થમાં ભૌતિક ચમત્કાર કરનારી લબ્ધિઓનું બહુ મૂલ્ય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy