SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ જિનતત્ત્વ (२२) बीजवुद्धि એક અર્થ પરથી ઘણા અર્થોને ધારણ કરનારી બુદ્ધિ તે બીજબુદ્ધિ લબ્ધિ કહેવાય છે. (ર૩) તેનલી (તેનોનેરશ્યા) ક્રોધે ભરાયેલા સાધુ જેના ઉપર ક્રોધ કર્યો હોય તેવા માણસોને અથવા ધૂળ કે સૂક્ષ્મ પદાર્થોને, પર્વત કે મોટાં નગરોને પોતાના મુખમાંથી નીકળેલી વાળા વડે બાળી નાખવાને સમર્થ હોય તે તેજસી લબ્ધિવાળા (તેજોવેશ્યાવાળા) કહેવાય છે. (૨૪) માદરવા શરીરના પ્રકારોમાં એક પ્રકાર તે આહારક શરીરનો છે. આહારક લબ્ધિવાળા મહાત્માઓ પોતાના સંશયનું નિવારણ કરવાને માટે અથવા તીર્થકર ભગવાનનું સાક્ષાત્ દર્શન કરવાને માટે પોતાના શરીરમાંથી વિશિષ્ટ શુભ પુદ્ગલ પરમાણુઓ આહાર કરી – એટલે કે એકત્ર કરી એક હાથ જેટલું પોતાની આકૃતિનું શ્વેત પૂતળું પોતાના મસ્તકમાંથી બહાર કાઢી તીર્થકર ભગવાન પાસે મોકલે અને સંશયનું સમાધાન કરી, દર્શન કરી પાછું આવી એ પૂતળું પોતાના શરીરમાં દાખલ થઈ જાય છે. આવી લબ્ધિ આહારક લબ્ધિ તરીકે ઓળખાય છે. (२५) शीतलेश्या તેજોલેશ્યાથી રક્ષણ કરવા માટે પ્રાપ્ત થયેલી શક્તિ તે શીતલેશ્યા કહેવાય છે. એ જ્યારે છોડવામાં આવે છે ત્યારે શીતળતા પ્રસરે છે. એથી ઉષ્ણ તેજોવેશ્યા ખાસ અસર કરી શકતી નથી. (२६) वैक्रिय देहधारी આ લબ્ધિથી શરીરને નાનું, મોટું, હલકું કે ભારે કરી શકાય છે અને શરીરનું રૂપ પણ બદલી શકાય છે. (૨૭) પક્ષી માનસી મહાનસ એટલે રસોડું – રસોઈ. અક્ષણ એટલે ખૂટે નહિ તેવું. આ પ્રકારની લબ્ધિથી નિપજાવેલું ભોજન પોતે ખાય તે જ ઓછું થાય, પરંતુ બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy