SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ જિનતત્ત્વ નિર્વાણ પામે છે. એટલે તીર્થકર ભગવાનની પ્રતિમા કાઉસગ્ગ ધ્યાનમાં પદ્માસનવાળી અથવા ઊભેલી એવી હોય છે. આ બે સિવાય અન્ય કોઈ આસનમાં તીર્થકર ભગવાનની પ્રતિમા હોઈ શકે નહિ. (કેટલીક પ્રતિમાઓ અર્ધ પદ્માસનમાં હોય છે. પરંતુ તે પદ્માસનનો જ એક પ્રકાર છે.) આમ, તીર્થકરોની પ્રતિમા મુખ્ય બે આસનમાં હોવાથી અને તેમના હાથમાં કોઈ આયુધ કે ઉપકરણ ન હોવાથી, કઈ પ્રતિમા કયા તીર્થંકરની છે એ ઓળખવા માટે અન્ય કોઈ આલંબનની જરૂર રહે છે. ચોવીસ તીર્થંકરમાં કોઈક રાતા વર્ણના, કોઈક નીલ વર્ણના, કોઈક શ્યામ વર્ણના અને કોઈ કાંચન વર્ણના હોય છે. વર્ણ અનુસાર પ્રતિમા બનાવવામાં આવી હોય તો પણ એક વર્ણની એક કરતાં વધુ તીર્થકરની પ્રતિમા હોઈ શકે છે, એટલે પણ ઓળખવામાં મુશ્કેલી રહે છે. પરંતુ એકંદરે તો વર્ણ અનુસાર પ્રતિમા બનાવવામાં આવી હોય એવું ઓછું જોવા મળે છે. એટલે તીર્થંકરોની પ્રતિમાને લાંછન ન હોય તો ઓળખવામાં મુશ્કેલી રહે છે. પાર્શ્વનાથ ભગવાનની મોટા ભાગની પ્રતિમાઓમાં માથે નાગની ફણા જોવા મળે છે. એટલે લાંછન વગર પણ તેને ઓળખી શકાય છે. બીજી બાજુ માથે ફણા ન હોય એવી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાઓ પણ ઠીક ઠીક જોવા મળે છે. વળી કોઈ કોઈ ઠેકાણે સુપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ફણાવાળી જોવા મળે છે એટલે કે દેહવર્ણ અને ફણા વગેરે દ્વારા પ્રતિમાને નિશ્ચિતપણે ઓળખવામાં પણ કેટલીક મુશ્કેલી તો રહે છે. આમ, જિનપ્રતિમાઓ આકૃતિની દૃષ્ટિએ લગભગ એક જ સરખી હોવાથી એમને ઓળખવા માટે કોઈ વિશિષ્ટ લક્ષણની અપેક્ષા રહે છે. આ વિશિષ્ટ લક્ષણ તે “લાંછન' છે. આમ, તીર્થકરોનાં લાંછનની એક વિશિષ્ટ પરંપરા જૈન શાસ્ત્રોમાં તેમજ શિલ્પવિદ્યામાં જોવા મળે છે, જે અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy