SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ જિનતત્ત્વ એક કરતાં વધુ હોય ત્યારે તેમાં ગેરસમજ થવાનો સંભવ રહે છે. પરંતુ દરેક મનુષ્યનાં અંગાંગોમાં, મસ્તક કે ચહેરા ઉપર, હાથે કે પગે અથવા શરીરના અન્ય કોઈ ભાગમાં એવી કોઈક વિશિષ્ટ નિશાની હોય તો તે વડે એને તરત ઓળખી શકાય છે. તલ, મસો, લાખું, રુઝાયેલો ઘા, રસોળી, ડાઘો, રુંવાટી, ભૂરી આંખો, ધોળા વાળ, માથે ટાલ વગેરે જેવા કોઈ લક્ષણથી અજાણી વ્યક્તિને ઓળખવાનું અઘરું નથી. જ્યાં સમાન ચહેરા હોય કે જ્યાં સમાન દેહાકૃતિ હોય ત્યાં આવાં જુદાં કોઈક લક્ષણોની અપેક્ષા વધારે રહે છે. વર્તમાન સમયમાં શરીર પરનાં વિશિષ્ટ લક્ષણો દ્વારા તથા ફોટોગ્રાફ દ્વારા અજાણ્યા માણસને ઓળખવાનું સરળ થઈ પડે છે. પાસપોર્ટ માટે અને પોલીસ ખાતાના રેકોર્ડ માટે અનેક માણસોના ફોટાઓ ઉપરાંત એનાં વિશિષ્ટ લક્ષણો (Identification Marks)ની નોંધ રાખવામાં આવે છે. બે માણસના હાથ અને પગની રેખાઓ સરખી હોતી નથી. તેમાં પણ, એમ કહેવાય છે કે દુનિયામાં કોઈ પણ બે માણસના હાથના અંગૂઠાની રેખાઓની છાપ ક્યારેય સરખી હોતી નથી. એ રેખાઓમાં અનંત વૈવિધ્ય રહેલું છે. એટલે કે દરેક માણસના શરીરમાં એવું તો કંઈક લક્ષણ હોય છે કે જે એનું પોતાનું વિશિષ્ટ, એકલાનું જ હોય છે. તેવા એક લક્ષણ દ્વારા કે થોડાંક લક્ષણોના સમૂહ દ્વારા માણસને ઓળખવાનું સરળ થઈ પડે છે. શરીરનાં વિવિધ અંગોનાં અવલોકન ઉપરથી માનવજાતિએ પોતાના અનુભવને આધારે કેટલાંક લક્ષણોને ઉત્તમ પ્રકારનાં, કેટલાંકને મધ્યમ પ્રકારનાં અને કેટલાંકને કનિષ્ઠ પ્રકારનાં ગણાવ્યાં છે. શરીરના વિભિન્ન અવયવોમાં રહેલાં એવાં ઉત્તમ લક્ષણોમાંથી જેનામાં બત્રીસ ઉત્તમ લક્ષણો હોય તેવા માણસને બત્રીસલક્ષણો' કહેવામાં આવે છે. તે માણસ ભાગ્યશાળી અને શુકનવંતો ગણાય છે. ભારતીય સામુદ્રિકશાસ્ત્રમાં માનવશરીરનાં વિભિન્ન લક્ષણોનું જેટલું ઝીણવટભર્યું અવલોકન, પૃથક્કરણ અને અધ્યયન થયું છે અને તે દ્વારા જે શુભાશુભ અનુમાનો તારવવામાં આવ્યાં છે તેવું દુનિયાના અન્ય કોઈ સાહિત્યમાં જોવા મળતું નથી. શરીરનાં વિવિધ અંગોને પણ લક્ષણ, વ્યંજન (મસો, તલ વગેરે), ગુણ, માન (પાણીથી માપ), ઉન્માન (વજનથી મા૫), પ્રમાણ (આંગળથી માપ)ની દૃષ્ટિએ તપાસી તેના ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. ભગવાન મહાવીરના શરીરનું વર્ણન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy