SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ લાંછન લાંછન' સંસ્કૃત શબ્દ છે અને તેનો અર્થ થાય છે “નિશાની” અથવા ચિહ્ન'. લાંછન ઉપરથી પ્રાકૃત અને અપભ્રંશમાં લંછણ શબ્દ પણ વપરાય છે. લાંછન' માટે “પતિનાવિક વિ', ‘તંછvi સંશો ધિં', “ઉભુજાતિમિરન' ઇત્યાદિ ઉલ્લેખો પ્રાચીન ગ્રંથોમાં મળે છે. લાંછન માટે ‘ચિહ્ન' ઉપરાંત “ધ્વજ', ‘લિંગ” જેવા શબ્દો પણ વપરાય છે. કેટલાક શબ્દોના અર્થમાં ચડતી પડતી થાય છે. અર્થવિસ્તાર, અર્થસંકોચની પ્રક્રિયા શબ્દોની બાબતમાં થયા કરે છે. કેટલાક શબ્દો વખત જતાં હલકા અર્થમાં પણ વપરાવા લાગે છે, એટલે કે તેના અર્થવિનિપાતની ક્રિયા પણ થાય છે. “લાંછન' શબ્દ તીર્થકરોની બાબતમાં શ્રેષ્ઠ ચિનના, અર્થમાં વપરાય છે, પરંતુ વર્તમાન સમયમાં લોકવ્યવહારની ભાષામાં “લાંછન” શબ્દ “કલંક” અથવા “ડાઘ'ના અર્થમાં પણ વપરાય છે. વ્યક્તિની ઓળખ માટે એનાં લક્ષણો ઉપકારક નીવડે છે. કેટલાંક લક્ષણો સારાં હોય છે અને કેટલાંક ખરાબ હોય છે. આંખે કાણો, હાથે ટૂંઠો, પગે લંગડો, કોઢવાળો કે એવાં કોઈક ખરાબ લક્ષણો દ્વારા પણ માણસ તરત ઓળખાઈ આવે છે. જેમ વ્યક્તિ પુણ્યશાળી કે ભાગ્યવાન તેમ એના શરીરમાં અસામાન્ય શુભ લક્ષણો જોવા મળે છે અને તે લક્ષણોને વધુ મહત્ત્વ અપાય છે. તીર્થકરોને ઓળખવા માટે એમનાં અસામાન્ય એવાં અનેક શુભ બાહ્ય લક્ષણોમાંથી કોઈ વિશિષ્ટ એકાદ લક્ષણને સૌથી મહત્ત્વનું ગણવામાં આવે છે. એ રીતે “લાંછન' એ તીર્થકરને ઓળખવા માટેનું એક વિશિષ્ટ લક્ષણ છે. અજાણી કોઈ વ્યક્તિને ઓળખવા માટે ઊંચાઈ, આંખોનો રંગ, ચામડીનો વર્ણ વગેરે લક્ષણો કામ લાગે છે. એવાં સામાન્ય લક્ષણો દેહનું વર્ણન કરવામાં મદદરૂપ બને છે. એમ છતાં જ્યારે એવા વર્ણનવાળી સમાન વ્યક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy