SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ બધાં તીર્થસ્થળો, હવાખાવાનાં સ્થળો, નૈસર્ગિક રમણીય પ્રદેશોમાં ફરવાનું-રખડવાનું બહુ જ બન્યું છે અને અનેકવિધ અનુભવો થયા છે. કેટલાક મિત્રોએ એ વિશે લખવા માટે સૂચન કર્યું છે. એ સૂચન મને ગમ્યું છે, પણ જ્યારે લખાય ત્યારે સાચું. વાચકોને કશુંક નવું જાણવા મળે, વાર્તા જેવો રસ પડે અને મારો પોતાનો વ્યક્તિગત લાક્ષણિક અનુભવ હોય એવા પ્રસંગો વિશે આ પ્રવાસલેખો લખ્યા છે, વિશ્વ સતત પરિવર્તનશીલ છે. એટલે અહીં આપેલી કેટલીક વિગતો માટે ભવિષ્યની પ્રજાને એટલી નવાઈ ન લાગે એવું પણ સંભવી શકે છે. આ અનુભવપ્રસંગોના લેખન દરમિયાન મારાં સ્વજનોએ (પત્ની, પુત્ર, પુત્રવધૂ, પુત્રી, જમાઈ વગેરેએ) કેટલાંક ઉપયોગી સૂચનો કર્યા છે તેનો ઋણસ્વીકાર અહીં કરી લઉં છું. “નવનીત-સમર્પણ'માં છપાયા પછી ગ્રંથરૂપે પ્રકાશિત કરતાં પહેલાં ક્યાંક શાબ્દિક ફેરફારો કર્યા છે અને રહી ગયેલાં મુદ્રણદોષો નિવારી લીધા છે. | ‘પાસપોર્ટની પાંખે'ના પ્રકાશન વખતે મારા આત્મીય વડીલો પૂ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ અને પૂ. ચન્દ્રવદન ચી. મહેતાએ આવકારવચન લખી આપ્યાં હતાં. એ બંને વિદેહ સાક્ષરો તથા સ્વ. ભૃગુરાય અંજારિયા આ ગ્રંથ જોવાને વિદ્યમાન હોત તો તેઓને કેટલો બધો આનંદ થાત ! આ ‘ઉત્તરાલેખન' માટે અન્ય બે વડીલ સાક્ષરો – પ્રો. ચી. ના પટેલસાહેબ અને ડૉ. રણજિતભાઈ પટેલ(અનામી)સાહેબે આશીર્વચન લખી આપ્યાં છે એ માટે એ બંનેનો હૃદયપૂર્વક નતમસ્તકે આભાર માનું છું. મારા મિત્ર પ્રો. જશવંતભાઈ શેખડીવાલાએ આ સમગ્ર લખાણ સાદ્યત ચીવટપૂર્વક જોઈ આપી ઉપયોગી સૂચનો કર્યા છે એ માટે એમનો પણ ઋણી છું. આ પ્રવાસલેખો શ્રેણીરૂપે પ્રકાશિત કરવા માટે નવનીત-સમર્પણ'ના તંત્રી શ્રી ઘનશ્યામ દેસાઈનો તથા સહતંત્રી શ્રી દીપકભાઈ દોશીનો પણ આભારી છું. એમના મમતાભર્યા આગ્રહ વિના આ પ્રવાસલેખો લખવાનું શક્ય બન્યું જ ન હોત. આ ગ્રંથના પ્રકાશનની જવાબદારી શ્રી મુંબઈ જૈન યુવક સંઘે ઉપાડી લીધી એ બદલ સંઘનો અને એના સર્વ કાર્યકર્તાઓનો, વિક્રેતા તરીકે જવાબદારી સ્વીકારવા બદલ આર. આર. શેઠની કંપનીનો અને એના માલિક શ્રી ભગતભાઈ શેઠનો તથા મુદ્રણકાર્યની જવાબદારી ઉપાડી લેવા બદલ મારા વડીલ મિત્ર ડો. શિવલાલ જેસલપુરાનો તથા ભાઈશ્રી ગિરીશભાઈ જેસલપુરાનો પણ હું અત્યંત આભારી છું. આ લેખમાળા લખાવી અને પ્રકાશિત થવી શરૂ થઈ ત્યારથી તે ગ્રંથરૂપે પ્રગટ થઈ ત્યાં સુધી એને લગતાં પ્રકીર્ણ કામોમાં સહાય કરનાર શ્રી જાનુ કવળકરનો પણ આભારી છું. આ ગ્રંથ વાંચીને કોઈકને કંઈક પણ પ્રેરણા મળશે તો મારું લખવું સાર્થક થયું છે એમ માનીશ. મુંબઈ : આસો વદ ૧, વિ.સં. ૨૦૫૪ રમણલાલ ચી. શાહ તા. ૬-૧૦-૧૯૯૮ VIII VIII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy