SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ કુમામોટો પાસે હતો. અમે હોટેલના કાઉન્ટર ઉપર ગયા. સદ્ભાગ્યે ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી બોલનાર એક કર્મચારી હતો. અમે એને અમારી મુશ્કેલી સમજાવી. છબરડાની વાત જાણી એ હસ્યો. ફરી આવી ભૂલ ન થાય તે માટે કિલ્લાનું નામ જાપાની ભાષામાં લખી આપવા અમે એને કહ્યું. અમે બીજી ટેકસી કરીને કમામાદોના કિલ્લા પાસે પહોંચ્યા. અમે ટેકસી છોડી દીધી, કારણ કે સ્ટેન્ડ પર ઘણી ટેકનીઆ ઊભેલી હતી. કિલ્લો જોવા માટેની ટિકિટ ખરીદી અમે એમાં દાખલ થયા. - સોળમા સૈકામાં બાંધવામાં આવેલા કુમામોટોનો કિલ્લો જોવા જેવો છે. એનો ઇતિહાસ રસિક અને રોમાંચક છે. સામંતશાહીના જમાનામાં ફમામોટોનો કિલ્લો એક મોટા લશ્કરી કેન્દ્ર તરીકે પ્રખ્યાત હતો. ૧૮૭૭માં સસુમાનો બળવો અહીંથી થયો હતો. કુમામોટોના સૈનિકો તલવાર અને ભાલા વડે યુદ્ધ કરવાની કલામાં નિપુણ હતા. કુમામોટોનો કિલ્લો એટલે સામુરાઈ નો ઈતિહાસ. ભારતમાં જેમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એવી વર્ણાશ્રમની પ્રથા હતી તેમ જાપાનમાં જૂના કાળમાં સૈનિક, ખેડૂત, વેપારી અને કારીગર એવા ચાર પ્રકારના વર્ગની પ્રથા હતી. તેમાં સૈનિકો માટે અને લશ્કરી તાલીમ માટે ‘સામુરાઈ' શબ્દ પ્રચલિત બની ગયો હતો. એ કોમના લોકોને યુદ્ધકલાની ખાસ તાલીમ આપવામાં આવતી હતી. સામુરાઈ શબ્દ ગૌરવ અને પરાક્રમના પર્યાય જેવો હતો. કેટલોક વખત તો રાજાના મુખ્ય સેનાપતિ માટે તે વપરાતો હતો. પરંતુ પછીથી સેનાપતિ માટે દાઈમ્યો' શબ્દ પ્રચલિત બન્યો અને સામાન્ય સૈનિક માટે સામુરાઈ' શબ્દ વપરાવા લાગ્યો. ઓગણીસમા શતકના ઉત્તરાર્ધમાં જ્યારે સામંતશાહીની પ્રથાનો અંત આવ્યો ત્યારે તેઓના વિશિષ્ટાધિકારો ઓછા થઈ ગયા. દાઈમ્યો અને સામુરાઈને વર્ગ ઘસાતો ગયો. પછી તેઓ માટે અનુક્રમે 'કાવાઝોકી' અને 'શિઝોકુ' શબ્દ વપરાવા લાગ્યા. સામાન્ય સૈનિક કરતાં સામુરાઈને ઓળખવાની નિશાની એ હતી કે રાજા તરફથી એમને બે તલવાર આપવામાં આવતી. તેમના લશ્કરી નીતિનિયમો માટે ખુશીદો' શબ્દ વપરાતો. તાકાત, હિંમત, પરાક્રમ, સહનશકિત, વિનય, સ્ત્રીદાક્ષિણ્ય અને રાજા પ્રત્યેની વફાદારી જેવા ગુણો જેનામાં હોય, એટલે કે જેનામાં ખુશીદો' હોય તે જ ઉત્તમ સામુરાઈ થઈ શકે. કોઈ સામુરાઈથી કોઈ ગંભીર ભૂલ, ગુનો કે આજ્ઞાભંગ થાય તો તે પોતે હારાકીરી કરે અથવા હારાકીરી કરવા માટે રાજ્ય તરફથી એને આજ્ઞા થાય. હારા (પેટ), કીરી એટલે વિધિપૂર્વક ઘૂંટણીએ પડી, પેટમાં કટાર ખોસી આપઘાત કરવો. જાપાનમાં સામુરાઈ, ખુશીદો, હારાકીરીની ઘણી બધી ઐતિહાસિક રોમાંચક ઘટનાએ છે. કેટલીક કિંવદંતી છે અને કેટલીક કાલ્પનિક કથાઓ પણ છે. આ કથાઓ ઉપરથી ઘણાં ચલચિત્રો અને નાટકો બન્યાં છે. જાપાની પ્રજાનો એ એક પ્રિય વિષય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy