SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પર પાસપોર્ટની પાંખે - ઉત્તરાલેખન શહેરને આગ લગાડી અને એ રીતે કોરિન્થ ખેદાનમેદાન થઈ ગયું, ઉજ્જડ બની ગયું હતું. ગાઈડે કોરિન્થ વિશે અમને ઘણી માહિતી આપી. રોમનોના શાસનકાળ દરમિયાન અને પછી તુર્ક લોકોના રાજ્યસમય દરમિયાન કોરિન્થ કેટલોક વખત પ્રાપ્ત કરેલી જાહોજલાલીનો પણ અમને ખ્યાલ આપ્યો. ત્યારે કોરિન્થની એક પચરંગી નગર તરીકે ખ્યાતિ વધી હતી. કોરિન્થ આવતાં પહેલાં અમારી બસ એક સ્થળે ઊભી રહી. અમે સૌ નીચે ઊતર્યા. કોરિન્થની નહેર અમને બતાવવામાં આવી. કોરિન્થનો વિસ્તાર એટલે બે સમુદ્ર વચ્ચેની નાની પટ્ટી (Isthmus) અર્થાત્ સંયોગી ભૂમિ. એક બાજુ કોરિન્થનો અખાત અને બીજી બાજુ સારોનિક સમુદ્ર. બંનેને જોડતી નહેર જો ખોદવામાં આવે તો રોજેરોજ કેટલાંયે વહાણોનું સો માઈલનું ચક્કર બચી જાય, પરંતુ નક્કર પથ્થરમાં નહેર ખોદવાનું સહેલું નહોતું. નહેરનો વિચાર પરિઆન્ડરને આવ્યો હતો. પણ એ શક્ય ન હોવાથી એણે એવી યોજના વિચારી કે એક છેડે વહાણ ઊભાં રહે. એમાંથી માલ ઉતારીને પૈડાંવાળાં વાહનોમાં મૂકવામાં આવે અને બીજે છેડે પહોંચાડવામાં આવે. એ વાહનો સારી રીતે ચાલી શકે એ માટે સપાટ રસ્તો કરવો જોઈએ. પણ એની યોજના સરખી અમલમાં આવી નહિ. ત્યાર પછી રોમનોના શાસનકાળ દરમિયાન સમ્રાટ નીરો ઈટલીથી કોરિન્થ આવ્યો હતો. એની સમક્ષ નહેરની યોજના મૂકવામાં આવી. એ વાત એને ગળે ઊતરી. એણે હુકમ છોડ્યો અને નહેર ખોદવા માટે છ હજાર ગુલામોને કામે લગાડી દેવામાં આવ્યા. પરંતુ એવામાં રોમમાં બળવો થયો એટલે ગુલામોને પાછા બોલાવી લેવામાં આવ્યા. પછીના સૈકાઓમાં નહેરની યોજના ક્યારેય થઈ નહિ. છેવટે ઓગણીસમી સદીમાં નહેર કરવામાં આવી. દરિયાની સપાટી કરતાં જમીનની સપાટી ઘણી જ ઊંચી છે અને પથ્થર એવો નક્કર છે કે નહેર કરતાં ઘણાં વર્ષો લાગ્યા અને ખર્ચ પણ ઘણું થયું હતું. અમે ઉપરથી જોયું તો નહેર બહુ જ સાંકડી, એક નાની સ્ટીમર પસાર થઈ શકે એવડી છે, પરંતુ નીચે ભૂરા પાણીમાં વારાફરતી સરકતી જતી, ઉપરથી નાની દેખાતી સ્ટીમરોનું દશ્ય ગમી જાય એવું હતું. એક બાજુના કોરિન્થના અખાતની વાત કરતાં ગાઈડે કહ્યું કે આ અખાતની રાહ એવી છે કે કોરિન્થની રાજ્યસત્તાનું એની પર સારું વર્ચસ્વ ટકી રહ્યું હતું. ઈ.સ. ૧૫૭૧માં ઓટોમાન તુર્ક અને કોરિન્થ વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે આ અખાતમાં ખેલાયેલા નૌકાયુદ્ધમાં કુલ તેત્રીસ હજાર તુર્ક નૌસૈનિકોને ડુબાડી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી એનો બદલો લેવા તુર્કસ્તાને પણ હજારો ગ્રીક લોકોનો સંહાર કર્યો હતો. કોરિન્થની નહેર જોઈ અમે બસમાં બેઠાં. ગાઈડે કહ્યું, “હવે આપણે કોરિન્થના અવશેષો જોવા જઈશું. ત્યાં ઠીક ઠીક વાર લાગશે અને લંચ માટે તમારે થોડું મોડું થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy