SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ કોરિન્થ ૨૫૧ બીજા વિશ્વયુદ્ધ પછી કોરિન્થના વિસ્તારમાં ઘણું ખોદકામ થયું છે અને ભગ્ન નગરના બહુ અવશેષો હવે ત્યાં નજરે જોવા મળે છે. કોરિW પાંચ હજાર વર્ષ પહેલાં વસેલું નગર છે. ત્યારથી આજ દિવસ સુધી એનું નામ કોરિન્થ' જ રહ્યું છે. આરંભમાં અમુક જાતિના લોકો ત્યાં આવીને વસ્યા હશે. આ સ્થળની પસંદગીનું મુખ્ય કારણ ત્યારે પાણીનું હતું. જ્યાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે ત્યાં રખડુ જાતિઓ વસવાટ કરતી. કોરિન્થ પાસે ઝરણાંનું પાણી વિપુલ પ્રમાણમાં છે. વળી કોરિન્થ પાસે પર્વત છે. એટલે કિલ્લા જેવું કુદરતી રક્ષણ એને મળી રહેતું. તદુપરાંત થોડા માઈલના અંતરે જ, કોરિન્થની બે બાજુ બે સમુદ્ર છે – કોરિન્થનો અખાત અને સારોનિક અખાત. આ શહેર ઉત્તરોત્તર સમૃદ્ધ થતું ગયું હશે, કારણ કે લગભગ પોણા ત્રણ હજાર વર્ષ પૂર્વે ગ્રીક કવિ હોમરે પોતાના મહાકાવ્યમાં કોરિન્થનો એક સમૃદ્ધ નગર તરીકે ઉલ્લેખ કર્યો છે. ઈસવીસન પૂર્વેના નવમા સૈકામાં ડોરિયન જાતિના લોકોએ કોરિન્થ ઉપર ચડાઈ કરીને તેનો કબજો મેળવ્યો હતો. તે પૂર્વે વિવિધ જાતિની પ્રજાઓએ ત્યાં આવીને વસવાટ કર્યો હતો. કોરિન્થના પ્રાચીન ઈતિહાસની બહુ વિગતો મળતી નથી, પણ જે સંદભ મળે છે તે પરથી એમ મનાય છે કે સિસિફસ કરિન્થનો પ્રથમ રાજા હતો. પાંખવાળો ઊડતો ઘોડો પેગાસસ’ એ એનું સત્તાવાર રાજદ્વારી પ્રતીક હતું. ઈસવીસન પૂર્વે છઠ્ઠા-સાતમા સૈકામાં કોરિન્થનું રાજ્ય વિસ્તાર પામતું ગયું હતું. વેપાર-ઉદ્યોગ અને વહાણવટામાં કોરિન્થ ઘણી પ્રગતિ કરી હતી. માટીનાં મોટાં વાસણો, એના ઉપર ચિત્રકામ, વણાટકામ, ધાતુની ચીજવસ્તુઓ, ઓજારો, યુદ્ધ માટેનાં હથિયારો વગેરે ખોદકામ કરતાં જે મળ્યાં છે તે પરથી જણાય છે કે કોરિળ્યું ત્યારે ઘણી પ્રગતિ કરી હશે. ઈસવીસન પૂર્વે છઠ્ઠા-સાતમા સૈકામાં સાઈસેલસ અને પછી એના પુત્ર પેરિઆન્ડરના શાસનકાળ દરમિયાન કોરિન્થની બહુ જાહોજલાલી હતી. - આ યુગમાં કોરિન્થમાં ગ્રીક સૂર્યદેવતા (તથા સંગીત, સંરક્ષણ અને પવિત્રતાના દેવતા) એપોલોનું મંદિર બંધાયું હતું. એના કેટલાક સ્તંભ આજે પણ ત્યાં જોવા મળે છે. એ વખતે નગરકોટ તરીકે કોરિન્થ બાંધેલી મજબૂત દીવાલ એટલી મોટી અને વિસ્તારવાળી હતી કે એવી મોટી દીવાલ ગ્રીસમાં બીજે ક્યાંય બંધાઈ નહોતી. શિલ્પસ્થાપત્યનું ઘણું સુંદર કામ આ યુગ દરમિયાન થયું હતું. પરંતુ સમૃદ્ધિની ટોચે પહોંચેલાં નગરોનું કેટલીક વાર થાય છે તેવું જ કોરિન્થનું થયું હતું. ઈસવીસનના બીજા સૈકાથી લગભગ દસમા સૈકા સુધી કોરિન્થની જાણે દશા બેઠી હોય એમ બન્યા કર્યું. એથેન્સ સાથે યુદ્ધ થયું, મેસેડોનિયાએ આક્રમણ કર્યું, રોમનોએ ચડાઈ કરી, પર્શિયનોએ લડાઈ કરી, ઓટોમાન તુર્ક લોકોએ સંહાર કર્યો. આમ વિદેશીઓનાં આક્રમણો થયાં, ધરતીકંપો થયા, દુશ્મનોએ આખા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy