SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ વાઈકિંગના વારસદારો ૧૮૧ હવે તમને બીજી એક વાઈકિંગ વિશિષ્ટતા બતાવું,' જોનાએ કહ્યું, “તમારી ડાબી બાજુ બારીમાંથી બહાર જુઓ. હવે ડુંગરાઓ ચાલુ થયા છે. તમને કંઈ દેખાય છે ?' ડુંગરોની તળેટીથી સહેજ ઊંચે બેઠા ઘાટનું લાકડાનું એક ઘર હતું. હું બોલ્યો, ઓહો ! ઠેઠ અહીં સુધી માણસો વસ્યા છે !' ના, અહીં સુધી માણસો વસ્યા નથી. આ તો ફક્ત એક જ ઘર છે. એને ઘર કહેવા કરતાં લાકડાની કેબિન કહેવી એ વધુ યોગ્ય છે.' જોનાની સૂચનાથી ડ્રાઈવરે બસ ઊભી રાખી. ડુંગરની ધાર ઉપર ઘણા મોટા મોટા પથરાઓની વચ્ચે એ કેબિન હતી. ત્યાં જવાની કોઈ કેડી પણ નહોતી. એમાં કોઈ રહે છે ?' હા. એક યુવાન ભાઈ એમાં રહે છે.” આટલે બધે દૂર અહીં એકલા રહેવાનું કારણ ?' 'બસ, એક તમન્ના. તમે જુઓ છો કે રેક્ષાવિકથી આટલે બધે દૂર આ ઘરને વીજળીનું કે પાણીનું કોઈ જોડાણ નથી. ત્યાં જે ભાઈ રહે છે તે ફક્ત ઉનાળામાં ચારેક મહિના આવીને રહે છે. ઉનાળામાં અહીં રાતના બાર-એક વાગે સૂર્યાસ્ત થાય અને અઢી-ત્રણ વાગતાં તો સૂર્યોદય થઈ જાય. બે-ત્રણ કલાકની રાતમાં અહીં આઈસલેન્ડમાં અંધારું ન હોય. જોઈ શકાય એવો, ચાંદની રાત કરતાં પણ વધારે ઉજાસ હોય. સંધ્યા કે પરોઢ જેવો ઉજાસ લાગે. એટલે લાઈટની જરૂર ન પડે. પીવાનું પાણી અને ખાધાખોરાકી વગેરે બધું પોતે ભરી લીધું હોય. “તેઓ ઉનાળામાં અહીં ડુંગરોમાં રહેવા આવે છે એટલે પ્રકૃતિના પ્રેમી હશે !' હા, એ તો ખરું, પણ બીજું મહત્ત્વનું કારણ છે.' એકલા રહે છે કે પત્ની-બાળકો સાથે રહે છે ?' એકલા જ. પરણ્યા નથી. હાથે રસોઈ કરીને ખાઈ લે છે. ચાર મહિના ઘરની બહાર નીકળતા નથી. હવે હું તમને સવાલ પૂછું છું. તમે કંઈ અનુમાન કરી શકો છો કે તેઓ શા માટે અહીં આવીને રહે છે ?' ‘રકાવિકમાં ગમતું નહિ હોય માટે.' કોઈકે કહ્યું. “ભારતમાં હોય તો અમે એક અનુમાન કરી શકીએ કે તેઓ કોઈ આધ્યાત્મિક સાધના માટે, મૌન, ધ્યાન, જપ વગેરે માટે રહેતા હશે. ભારતમાં અનેક આવા અસંગ તપસ્વીઓ, સાધકો, મહાત્માઓ એકલા રહેતા હોય છે.' અમે કહ્યું. 'ના, એવી કોઈ સાધના તેઓ કરતા નથી. તેઓ આખો દિવસ છાપાં, સામયિકો, પુસ્તકો વાંચે છે. જેનાએ કહ્યું. “તેમને ડર નહિ લાગતો હોય ?' કોઈકે પ્રશ્ન કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002037
Book TitlePassportni Pankhe Part 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy