SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી તથા પૂ. શ્રી ચન્દ્રવદન મહેતાને મેં વિનંતી કરી હતી, કારણ કે તેઓ આ પ્રસંગો “નવનીત-સમર્પણ'માં વાંચતા હતા. મારી વિનંતીનો તેમણે સ્વીકાર કર્યો, અને ઉંમરને કારણે તબિયતની કેટલીક પ્રતિકૂળતા હોવા છતાં સમય કાઢી તેમણે બંનેએ સહર્ષ પ્રસ્તાવના લખી આપી છે, તે માટે તે બંને પિતાતુલ્ય આદરણીય મહાનુભાવોનો હું અત્યંત ઋણી છું. પાસપોર્ટની પાંખે'ના આ બધા પ્રસંગો પ્રવાસના કાલાનુક્રમે ગોઠવવામાં નથી આવ્યા, તેમ જ તેમાં કોઈ ભૌગોલિક ક્રમ પણ રાખ્યો નથી. પ્રત્યેક પ્રસંગ સ્વતંત્ર રીતે વાંચી શકાય તેવો છે. વાચકને રસ પડે અને વૈવિધ્ય જળવાઈ રહે એ રીતે બધા અહીં ગોઠવવામાં આવ્યા છે. - આ બધા પ્રસંગો લખાતા હતા તે વખતે, “નવનીત-સમર્પણ'માં છપાયા પછી પણ, કેટલાંક ઉપયોગી સૂચનો કુટુંબના સભ્યોએ (પત્ની, પુત્ર, પુત્રી, ભાઈ વગેરે જેઓ એક અથવા બીજા પ્રવાસમાં સાથે હતાં તેમણે), મિત્રોએ, વડીલ લેખકોએ, વિદ્યાર્થીઓએ, વાચકોએ કર્યા છે તેઓ ઋણસ્વીકાર પણ અહીં કરી લઉં છું. પુસ્તકરૂપે છપાવતાં પહેલાં કોઈ કોઈ પ્રસંગોમાં શાબ્દિક ફેરફારો કર્યા છે અને સામયિકમાં અજાણતાં રહી ગયેલા કેટલાક મુદ્રણદોષ નિવારી લેવાયા છે. “કુમાર” વગેરે કેટલાંક સામયિકોએ કોઈ કોઈ પ્રસંગો ઉદ્ધરિત કર્યા હતા તે માટે તે સામયિકોનો અને કોઈ કોઈ પ્રસંગો પાઠ્યપુસ્તકોમાં લેવાયા છે તે માટે તે પાઠ્યપુસ્તકોના સંપાદકોનો તથા મહારાષ્ટ્ર રાજ્યના એજયુકેશન બોર્ડનો હું આભારી વિદેશના પ્રવાસ માટે તો કેટકેટલાના સહકારની અપેક્ષા રહે. મારા વિદેશપ્રવાસોમાં મોમ્બાસા જૈન સંઘ, ચન્દરિયા ફાઉન્ડેશન, પી. ઈ. એન., બૌદ્ધ ધર્મ સભા વગેરે જે જે નિમંત્રક સંસ્થાઓ, યજમાનો, વિવિધ દેશોના સરકારી કર્મચારીઓ, મિત્રો, સગાંસંબંધીઓ વગેરેએ મને જે સાથ-સહકાર આપ્યો છે તેનો ઋણસ્વીકાર અહીં કરી લઉં છું. એ બધાંનાં નામોની યાદી તો ઘણી મોટી છે એટલે વ્યક્તિગત ઉલ્લેખ કરતો નથી. અલબત્ત, એક ઉલ્લેખ તો અવશ્ય કરવો જોઈએ અને તે મારા પરમ મિત્ર શ્રી મહેન્દ્રભાઈ મહેતા અને એમનાં પત્ની સૌ. આશાબહેનનો. જ્યારે જ્યારે વિદેશ જવાનો પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે મારી બધી ચિંતા તેઓ માથે લઈ લેતાં. હીરાની નિકાસના વેપારને કારણે દુનિયાના ઘણા દેશોમાં તેમનાં સગાં-સંબંધીઓ અને વેપારી મિત્રો છે, એટલે પ્રવાસનું નક્કી થતાં જ તેઓ તાર, ટેલેક્ષ કે ટેલિફોન દ્વારા મારી આગતાસ્વાગતા માટે સંદેશ પહોંચાડી દેતા. એથી અજાણ્યા દેશના પ્રવાસમાં મને ઘણી રાહત રહેતી. એમના એ મિત્રકાર્ય માટે આભારની કોઈ ઔપચારિકતા એમને નહિ ગમે એ હું જાણું છું. સમર્પણ'ના જાન્યુઆરી ૧૯૮૦ના અંકથી નવનીત-સમર્પણ'ના માર્ચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002036
Book TitlePassportni Pankhe Part 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati & Travelogue
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy