SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શ્વત ઉપાસક રમણભાઈ સ્થાનકનો ઓરડો સંઘની માલિકીનો થયો.આ સ્થાનક ક્યારે સ્થપાયું હશે એનો સવિગત ઇતિહાસ મળતો નથી. પરંતુ અઢારમા-ઓગણીસમા સૈકામાં જ્યારે જૈનોની વસતી ઘણી હતી, જ્યારે સાધુ-સાધ્વીઓની અવરજવર વધુ હતી અને જયારે શાન્તિનાથ ભગવાનનું દેરાસર બંધાયું હશે ત્યારે આ સ્થાનકની સ્થાપના થઈ હશે. દેરાસરમાંથી સ્થાનક સુધીનું ભોંયરું એ વાતની સાબિતી રૂપે છે. આ સ્થાનક મારવાડી યતિઓ સાચવતા આવ્યા હતા. એમાં છેલ્લા યતિ તે શ્રી ધનરાજજી હતા. એમની વિદાય પછી રોજ સવાર-સાંજ થોડા કલાક આ સ્થાનકનો ઉપયોગ થતો રહ્યો. વિજળીના દીવા ત્યારે પાદરામાં આવ્યા નહોતા. ફાનસનો ઉપયોગ થતો. ઉત્સવ પ્રસંગે ઘણઆ દવા થતા કે જેથી ચારે બાજુ પ્રકાશ પથરાયેલો રહેતો. હું નાનો હતો ત્યારે શ્રી માણિભદ્રવીરના આ સ્થાનકમાં દર્શન કરવા જતો. સ્થાનકના આ ઓરડામાં કોઈ બારી નહોતી. એટલે અજવાળું ઓછું રહેતું અને બંધ હોય ત્યારે તો અંદર ઘોર અંધારું થઈ જતું. બારણું ખોલીએ એટલે અંદર અજવાળું દાખલ થાય. રાત્રે તથા દિવસે ઘણું ખરું બંધ રહેવાને કારણે, અંધારાને લીધે એમાં ચામાચીડિયાંની વસતી થઈ હતી. જેવું બારણું ખોલીએ એટલે ચામાચીડિયાં ઊડાઊડ કરવા લાગે. અમે નાના હતા, છતાં ચામાચીડિયાંની બીક લાગતી નહિ. જે કોઈને શ્રી મણિભદ્રવીરનાં દર્શન કરવા હોય તે બારણું ખોલી દર્શન કરીને બહાર આવે અને પાછું બારણું બંધ કરે. બારણું ખોલીને ઓરડામાં પ્રવેશ કરતાં ડાબી બાજુની ભીંતમાં વચ્ચે મોટા ગોખલામાં શ્રી મણિભદ્રવીરની મૂર્તિનાં દર્શન થાય. એના ઉપર ચાંદીના વરખ લગાડેલા હોય. આ સિવાય ઓરડામાં બીજું કશું રહેતું નહિ, એટલે કશું ચોરાઈ જવાનો ડર હતો નહિ. ઓરડાના લાકડાનાં બારણાં ઉપર અંકોડાવાળી એક સાંકળ રહેતી. બારસાખમાં ઉપર વચ્ચે તેનો નકુચો રહેતો. બારણાંને ઉલાળિયો પણ હતો. સાંકળ વાસવી રહી ગઈ હોય તો પણ ઉલાળિયાને લીધે પવનથી બારણું ખૂલી ન જાય અથવા ધકેલીને કૂતરું, બકરી વગેરે અંદર પેસી ન જાય. સ્થાનકના બારણાંને તાળું ક્યારેય મારવામાં આવતું નહિ. એવી જરૂર પડતી નહિ. શ્રી ધનરાજજી ગોરજીના સમયમાં આ સ્થાનકની જેટલી રોનક હતી તેટલી પછી રહી નહોતી, તો પણ શ્રી મણિભદ્રવીરનો મહિમા ઘણો મોટો હતો. પાદરામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002035
Book TitleShruta Upasak Ramanbhai C Shah
Original Sutra AuthorN/A
AuthorKanti Patel
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages600
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy